________________
પર પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પ્રશ્ન - જેનો નિષેધ કરાય તે હોય જ છે (સત્ હોય છે) આવી ઉપર સમજાવેલી તમારી વાત અનૈકાન્તિક (વ્યભિચારી) છે. કારણ કે ખરવિષાણાદિ (વધ્યાપુત્ર-શશશૃંગઆકાશપુષ્પાદિ) પદાર્થો અસત્ છે. આ સંસારમાં નથી, છતાં તેનો નિષેધ તો કરાય જ છે. સંસારમાં લોકો આમ બોલે જ છે કે ગધેડાને શીંગડા નથી. વળ્યાને પુત્ર નથી, આકાશમાં ફૂલ નથી ઈત્યાદિ. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે –
असओ नत्थि निसेहो, संजोगाइपडिसेहओ सिद्धं । संजोगाइचउक्कंपि, सिद्धमत्थंतरे निययं ॥१५७४॥ (મસતો નાસ્તિ નિષેધ, સંયોતિપ્રતિષેધત: સિદ્ધમ્ |
संयोगादिचतुष्कमपि, सिद्धमर्थान्तरे नियतम् ॥)
ગાથાર્થ - જે વસ્તુ “અસ” હોય છે તેનો નિષેધ કરાતો જ નથી. કારણ કે સંયોગાદિ ભાવોનો જ નિષેધ કરાય છે અને જે સંયોગાદિ ચાર ભાવોનો નિષેધ કરાય છે તે અર્થાન્તરમાં અવશ્ય હોય જ છે. ll૧૫૭૪
વિવેચન - આ સંસારમાં જે વસ્તુ સર્વથા અસત્ જ હોય છે, ક્યાંય સંભવતી જ નથી. તેનો નિષેધ પણ કરાતો જ નથી. જે સ હોય છે તેના જ સંયોગાદિ ચાર ભાવોનો જ નિષેધ કરાય છે. ભાવાર્થ એવો છે કે - અહીં દેવદત્તાદિ જે કોઈ પદાર્થનો નિષેધ કરવામાં આવે છે તે પદાર્થ અન્ય ક્ષેત્રાદિમાં સત્ હોય તો જ વિવક્ષિત કોઈ કોઈ સ્થાનોમાં તેના સંયોગનો, સમવાયનો, સામાન્યનો અને વિશેષનો એમ આ ચાર ભાવોનો જ નિષેધ કરાય છે. પરંતુ દેવદત્તાદિ પદાર્થોનો સર્વથા અભાવ પ્રતિપાદન કરાતો નથી. આ વાત ઉદાહરણ સાથે આ પ્રમાણે છે. “નાપ્તિ પૃદે તેવદ્રત્ત:' ઘરમાં દેવદત્ત નથી ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં આ સંસારમાં ઘર પણ છે અને દેવદત્ત પણ છે જ. માત્ર તે બન્નેના સંયોગનો જ નિષેધ કરાય છે તે બન્નેના અસ્તિત્વનો સર્વથા અપલાપ કરાતો જ નથી. ઘર પણ છે અને દેવદત્ત પણ છે. ફક્ત ઘરમાં દેવદત્ત નથી. બહાર બજારમાં અથવા અન્ય સ્થાનમાં તે દેવદત્ત છે જ. તેથી ઘરના અને દેવદત્તના સંયોગનો જ આ નિષેધ કહેવાય છે. જ્યારે દેવદત્ત મૃત્યુ પામ્યો હોય, સંસારમાં દેવદત્તપણે તેનું અસ્તિત્વ જ ચાલ્યું ગયું હોય, ત્યાર પછી “ઘરમાં દેવદત્ત નથી” આમ બોલાતું જ નથી. તેથી “ઘરમાં દેવદત્ત નથી” તેનો અર્થ ઘરનો અને દેવદત્તનો સંયોગ નથી.
આ પ્રમાણે “નાસ્તિ રવિપામ્'' ઈત્યાદિ બોલાતા વાક્યમાં આ સંસારમાં ખર (ગધેડો) પણ છે જ અને વિષાણ (છંગ = શીંગડાં) પણ છે જ. બન્ને વસ્તુ સત્ છે. ફક્ત