________________
૫૦ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ વાચ્ય કોઈ વસ્તુ પણ હોતી નથી અને તેનો નિષેધ પણ કરાતો નથી. જેમકે દિલ્થ-વિસ્થ આ શબ્દોની કોઈપણ જાતની વ્યુત્પત્તિ કે અર્થ થતો જ નથી. માટે તદ્વાચ્ય પદાર્થ પણ જગતમાં નથી અને તેનો નિષેધ પણ થતો નથી. અહીં ડિત્થ નથી, અહીં ડવિત્થ નથી એવું કોઈ બોલતું નથી. કારણ કે ડિત્થ-ડવિચૈ શબ્દથી વાચ્ય કોઈ વસ્તુ જણાતી હોય તો તેનો નિષેધ કરાય. પરંતુ આવા પ્રકારના વ્યુત્પત્તિ વિનાના શબ્દોથી કોઈ પદાર્થ જણાતો જ નથી તો તેનો નિષેધ પણ કેમ થાય ?
તથા જે જે શબ્દો બે પદોના અનુચિત સમાસથી બનેલા હોય છે તેને અશુદ્ધ પદ કહેવાય છે. તેવા અશુદ્ધ પદથી વાચ્ય વસ્તુ પણ કોઈ હોતી નથી, તેથી તેનો પણ નિષેધ કરાતો નથી. જેમકે ખરવિષાણ, વલ્ગાપુત્ર, આકાશપુષ્પ, આ બધા શબ્દો ગધેડાને શૃંગ, વધ્યાને પુત્ર અને આકાશનું પુષ્પ આમ અનુચિત સમાસથી બનેલા છે. માટે અશુદ્ધ પદ છે. અસંભવિત વસ્તુને કહેતો બે પદોના મિશ્રણવાળો શબ્દ છે. માટે અશુદ્ધ પદ છે. તેવા શબ્દોથી વાચ્ય કોઈ વસ્તુ જ નથી તેથી તેનો નિષેધ પણ કરાતો નથી. જગતમાં ક્યાંક પણ ખરઝંગ હોત તો અન્યત્ર તેનો નિષેધ કરાત. પરંતુ તે પદાર્થ જગતમાં ક્યાંય છે જ નહીં, માટે નિષેધ પણ ક્યાંય કરાતો નથી. આ ચર્ચાથી એ વાત સમજાય છે કે જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોય છે અને શુદ્ધપદ હોય છે (એટલે કે સમાસ વિનાના હોય છે) તે તે શબ્દોથી વાચ્ય પદાર્થો અમુક અમુક સ્થાનોમાં ચોક્કસ હોય છે અને બાકીના સ્થાનોમાં તેનો નિષેધ પણ કરાય છે.
આ પ્રમાણે હોવાથી આ અજીવ એવો શબ્દ બોલાય છે. તે અવશ્ય જીવના પ્રતિપક્ષવાળો છે. એટલે કે પ્રતિપક્ષી જીવ નામનો પદાર્થ સંસારમાં હોય તો જ તે જ્યાં ન હોય ત્યાં આ અજીવ શબ્દ બોલીને જીવનો નિષેધ કરાય છે અને અજીવ શબ્દ વપરાય છે. કારણ કે વ્યુત્પત્તિવાળા એવા શુદ્ધ પદનો પ્રતિષેધ હોવાથી, જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા અને શુદ્ધપદનો (અસામાસિક પદનો) નિષેધ કરાય છે. ત્યાં ત્યાં પ્રતિપક્ષવાળો તે પદાર્થ સંસારમાં ક્યાંય પણ જોવાયેલો હોય જ છે. જેમકે મટિ શબ્દ ઘટના પ્રતિપક્ષવાળો છે. તેથી મધર શબ્દનો પ્રયોગ જો સંસારમાં કરાય છે જેમકે યમદં ભૂતનમ્ = આ ભૂતલ ઘટ વિનાનું છે. તો તેનાથી નક્કી થાય છે કે આ વાક્ય દ્વારા આ ભૂતલ ઉપર વ્યુત્પત્તિવાળા અને શુદ્ધ એવા ઘટ પદનો નિષેધ કર્યો છે. તેથી તે ભૂતલ ઉપર ભલે ઘટ ન હોય પરંતુ અન્યત્ર સંસારમાં ઘટ નામના પ્રતિપક્ષપદાર્થની સત્તા હોવી જ જોઈએ. તો જ આ નિષેધ કર્યો તે ઉચિત ગણાય. જેનો પ્રતિપક્ષપદાર્થ જગતમાં હોતો જ નથી ત્યાં શુદ્ધ અને વ્યુત્પત્તિવાળા પદાર્થનો નિષેધ પણ કરાતો નથી. જેમકે “મવરવિષા” અને “ફિલ્થ'' શબ્દો ક્યારેય