SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ૪૯ સર્વથા નાસ્તિત્વ માનો તો તે ઘટતું નથી. તેથી સંદેહનો વિષય અને વિપરીતબોધનો વિષય જે પદાર્થ હોય છે તે પદાર્થ આ સંસારમાં ક્યાંક અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. ૧૫૭૨ अत्थि अजीवविवक्खो, पडिसेहाओ घडोघडस्सेव । नत्थि घडोत्ति व जीवत्थित्तपरो नत्थिसद्दोऽयं ॥ १५७३ ॥ (अस्त्यजीवविपक्षः प्रतिषेधाद् घटोऽघटस्येव । नास्ति घट इतीव जीवास्तित्वपरो नास्तिशब्दोऽयम् ॥ ) ગાથાર્થ - જેમ ‘“ષટ’' શબ્દમાં ઘટનો નિષેધ હોવાથી પ્રતિપક્ષ એવો ઘટ સંસારમાં છે. તેવી જ રીતે અજીવ શબ્દ પણ પ્રતિષેધવાળો હોવાથી તેનો પ્રતિપક્ષ (જીવ) પણ સંસારમાં છે જ, અથવા “અહીં ઘટ નથી” ઈત્યાદિ વાક્યની જેમ “જીવ નથી’ આવા પ્રકારનો નાસ્તિ શબ્દ જીવના અસ્તિત્વને સૂચવનારો છે. ૧૫૭૩ વિવેચન - તોઽવ્યક્તિ નીવ: = તથા હવે કહેવાતા આઠમા અનુમાનથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે તે આઠમું અનુમાન આ પ્રમાણે છે - ઘટ - પટ - પત્થર ઈત્યાદિ પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને જોઈને લોકો કહે છે કે આ તો જડ છે. આ તો અજીવ છે. આ પદાર્થો તો ચેતન નથી. આવા પ્રકારનાં બોલાતાં વાક્યોમાં જે જીવ નથી, ચેતન નથી એમ જે નિષેધ કરાય છે. તેથી ત્યાં ભલે જીવ નથી. પરંતુ સંસારમાં ક્યાંક જીવ નામનું તત્ત્વ હોય અને તેને જોયું, જાણ્યું, અનુભવ્યું હોય તો જ તેનો નિષેધ કરવો ઉચિત ગણાય. જેમકે પટ (વસ્ત્ર) એ ઘટ નથી અર્થાત્ અઘટ છે. આમ તો જ બોલાય કે જો આ સંસારમાં ઘટ હોય. જો સંસારમાં ઘટ જ ન હોત તો આ પદાર્થ “અઘટ” છે. આમ નિષેધ પણ બોલાત નહીં. જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોય છે, સાર્થક હોય છે તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ આ સંસારમાં હોય જ છે. તેથી જ તેવી વસ્તુ જ્યાં નથી હોતી ત્યાં તેનો નિષેધ પણ કરાય છે. જેમકે ઘટતે કૃતિ ઘટ:, રૃપાતીતિ નૃપ:, પ્રવતીતિ દ્રવ્યમ્ જે ચેષ્ટાવાળો પદાર્થ છે તે ઘટ છે. મનુષ્યોનું જે રક્ષણ કરે છે તે નૃપ છે. જે દ્રવીભૂત થાય છે, નવા નવા પર્યાયોને પામે છે તે દ્રવ્ય છે. આવા આવા જે જે શબ્દ વ્યુત્પત્તિવાળા છે, તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ સંસારમાં હોય જ છે. જ્યાં તે વસ્તુઓ નથી હોતી ત્યાં તેનો નિષેધ પણ કરાય છે. અહીં ઘટ છે, અહીં ઘટ નથી, આ દેશમાં રાજા છે, આ દેશમાં રાજા નથી, અહીં આ દ્રવ્ય છે, ત્યાં આ દ્રવ્ય નથી. જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોતા નથી તે તે શબ્દથી
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy