SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ શિષ્ય ! તું આમ જાણ” એવો અર્થ થાય છે અને સત્ત એટલે અશરીરીપણે પણ વિદ્યમાન, તેથી સળંગ અર્થ એ થયો કે “અથવા હે શિષ્ય તું સ્વયં જાણ કે અશરીરીપણે મુક્તાવસ્થામાં વિદ્યમાન એવા તે જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટપણે વિદ્યમાન એવા મુક્ત જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. તથા વા શબ્દથી સશરીરી જીવોમાં પણ જે વીતરાગ આત્મા છે તેને પણ રાગાદિ ભાવો (સુખાદિ ભાવો) સ્પર્શતા નથી. આ રીતે વેદવાક્યો મુક્તિગત જીવનું અસ્તિત્વ સૂચવનારાં જ છે. ૨૦૨૦ll પ્રશ્ન - આ બાબતમાં પ્રભાસજી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ફરીથી પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! આ રીતે અક્ષરોની (શબ્દોની) ભંગજાળ વડે તો મારા દ્વારા પણ પોતાના માનેલા અર્થની સિદ્ધિ માટે નવાં નવાં વ્યાખ્યાન કરી શકાય છે. શબ્દોની ભંગજાળ દ્વારા કરાતા આવા નવા નવા અર્થો કરવાની નીતિ-રીતિ કંઈ એકલા તમારા વડે બજારમાંથી ખરીદી લેવાઈ નથી. હું પણ મારા અભિપ્રાય પ્રમાણે અર્થ કરી શકું છું. આવા અભિપ્રાયવાળા પ્રભાસજીનો અભિપ્રાય જણાવીને જવાબ આપતાં કહે છે - न वसंतं अवसंतं ति वा मई, नासरीरगहणाओ । फुसणाविसेसणं पि य जओ मयं संतविसयं ति ॥२०२१॥ (न वसन्तमवसन्तमिति वा मति शरीरग्रहणात् । स्पर्शविशेषणमपि च यतो मतं सदविषयमिति ॥) ગાથાર્થ - વસન્તપિત્તિ અવસત્તમ્ આવો અર્થ કરવાની બુદ્ધિ કદાચ પરની થાય તો તે અર્થ ઉચિત નથી. કારણ કે “મારીર” શબ્દના ગ્રહણથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તથા “ ના” આવું વિશેષણ પણ “સત્''ના વિષયરૂપે મનાયું છે. ૨૦૨૧/l વિવેચન - પ્રભાસજી પરમાત્માને ફરીથી પ્રશ્ન કરે છે કે વાક્યોમાં લખાયેલા શબ્દોમાંથી પોતાના માનેલા અર્થો સિદ્ધ કરવા વ્યુત્પત્તિ જો કરાતી હોય તો તો આવી વ્યુત્પત્તિ મને પણ કરતાં આવડે છે. તે આ પ્રમાણે - “અશરીરં વા વસ' આવું જ બીજું વેદવાક્ય છે ત્યાં ૩ર ની પૂર્વના મીરની સાથે સંધિ થયેલી હોવાથી મેં નો લોપ થયેલો છે. અર્થાત્ “શરીર વાડવસન્ત' આવો પાઠ છે. વસન્ત પદનો અને વી પદનો માં મળીને દીર્ઘ થયેલ છે. તેથી જ વસન્ત = વસતં = મુક્તિ અવસ્થામાં નહીં વર્તતા, મુક્તિના સ્થાનમાં ક્યાંય નહીં રહેતા આવો અર્થ કરી શકાય છે. તેથી મુક્તિઅવસ્થામાં જીવ નથી, ક્યાંય પણ વસતો ન હોવાથી, આ રીતે જીવ ત્યાં છે જ નહીં. માટે પ્રિયાપ્રિય તેને સ્પર્શતાં નથી. આવા પ્રકારનો પરનો (પ્રભાસગણધરનો) પ્રશ્ન છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy