________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૧૪ ગુણસ્થાનકવાળા જીવો કે જે પરમસમાધિવાળા છે. આવા જીવો ભવમાં (સંસારમાં) છે તો પણ તેઓને રાગ-દ્વેષ (સુખ-દુઃખ) સ્પર્શતા નથી.
૬૧૯
આ રીતે સર્વ કર્મોનો ક્ષય કરીને શરીરનો ત્યાગ કરીને લોકાગ્ર ભાગે જઈને ત્યાં વસતા સિદ્ધ પરમાત્માને તથા ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં રહેલા સશરીરી ભવસ્થ જીવોને પણ સુખ-દુઃખ સ્પર્શતાં નથી. ૨૦૧૯॥
અથવા આ વેદવાક્યમાં જે ‘વા વસતં’’ પદ છે તેનો ‘‘વાવ સત્તું'' એવો અર્થ પણ થાય છે. તે સમજાવતાં કહે છે કે -
वावत्ति वा निवाओ, वासद्दत्थो भवंतमिह संतं । बुज्झाऽवत्ति व संतं, नाणाइविसिट्ठमहवाह ॥२०२०॥ (वावेति वा निपातो वाशब्दार्थो भवन्तमिह सन्तम् । बुध्यस्वावेति वा सन्तं ज्ञानादिविशिष्टमथवाऽऽह ॥ )
ગાથાર્થ - અથવા ‘‘વાવ’’ એવો શબ્દ અવ્યય છે અને તે ‘‘વા’’ શબ્દના અર્થવાળો છે. ‘‘સત્’’ પણે વર્તતા જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા અવ્ ધાતુ જ્ઞાન અર્થમાં છે. તેથી જ્ઞાનરૂપે સત્ અથવા જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટ એવા જીવને રાગાદિ (સુખાદિ) સ્પર્શતા નથી. ૨૦૨૦
વિવેચન - ઉપરની ગાથામાં જે અર્થ કહ્યો તે પદનો બીજો અર્થ આ ગાથામાં જણાવે છે. એટલે વા શબ્દ લખીને સમજાવે છે કે અથવા વાવ'' આવો શબ્દ વ્યાકરણશાસ્ત્રોમાં એક અવ્યય છે. તેનો પણ અર્થ વા શબ્દનો થાય છે તે જ થાય છે. અર્થાત્ ા અર્થમાં જ વાવ એવો અવ્યય છે. તેથી વાવ-અશરીર માં = અથવા અશરીરીપણે સત્ (વિદ્યમાન-સિદ્ધશિલામાં બીરાજમાન) એવા જીવને પ્રિયાપ્રિય એટલે કે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. તથા વા શબ્દથી સશરીરી જીવ પણ જો વીતરાગ હોય તો (૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં) તે જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. આવો અર્થ બીજા વેદવાક્યનો છે. તે અર્થ મુક્તિમાં જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.
અથવા ‘“વા અવ સર્જા’' આવું પદ છુટું પાડીએ તો અન્યથા = બીજો અર્થ પણ નીકળે છે. તે આ પ્રમાણે - વા એટલે અથવા, અવ એટલે તું જાણ, અવ્ ધાતુ રક્ષણગતિ-પ્રીતિ વગેરે ૧૯ અર્થોમાં વપરાય છે. તેમાંથી અહીં ગતિ અર્થ લેવો. જે જે ધાતુઓ ગતિ અર્થવાળા હોય છે તે તે જ્ઞાન-અર્થવાળા પણ હોય છે. માટે અવ્ એટલે જાણવું. તેનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચન અવ રૂપ થયું છે. તેનો અર્થ ‘ત્વમેવ બુધ્ધસ્વ'' હે