________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૧૫
વાત ફુટપણે સમજાય તેમ છે. “નષ્ટ” શબ્દથી જે વસ્તુ નાશ જ પામી ગઈ. સર્વથા અસત્ જ બની ગઈ તેને સુખ-દુઃખાદિનો યોગ સંભવતો જ નથી. તથા “મશરીર' શબ્દથી શરીરના નાશની સાથે આત્માનો પણ નાશ જ થાય છે. માટે તે શરીર શબ્દથી જીવના નાશનું વિધાન કરેલું છે.
“મશી વી વસન્ત' ઈત્યાદિ બીજા વાક્યનો “વંભૂતે અર્થે'' આવો અર્થ કર્યો છતે મુમુક્ષુ જીવ સંસારની ઉપાધિઓથી ત્રાસ પામેલો ધર્મારાધન કરીને દીપક બુઝાય તેમ બુઝાઈ જાય છે. અર્થાત્ સર્વથા નાશ જ પામી જાય છે. અસત્ બની જાય છે. મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ જ નથી. તેથી આવા પ્રકારનો જીવનો સર્વનાશ સ્વીકાર્યું છતે અમને શું દોષ આવે ? અર્થાત્ અમને જીવનો મુક્તાવસ્થામાં સર્વનાશ સ્વીકારવામાં કોઈ દોષ લાગતો હોય, એમ દેખાતું નથી. આ પ્રમાણે પ્રશ્ન પૂછનાર એવા પરનો (પ્રભાસજીનો) અભિપ્રાય છે. ll૨૦૧૬ll
આ વેદનાં વાક્યોનો સાચો અર્થ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બીજી કોઈ રીતે પ્રભાસજીને આ તત્ત્વ નહીં સમજાય એમ જાણીને ભગવાન શ્રી મહાવીર પ્રભુ આ વેદવાક્યોનો જ સાચો અર્થ સમજાવે છે -
वेयपयाण य अत्थं, न सुटु जाणसि इमाण तं सुणसु । असरीरव्ववएसो, अधणोव्व सओ निसेहाओ ॥२०१७॥ न निसेहओ य अन्नम्मि, तविहे चेव पच्चओ जेण । तेणासरीरग्गहणे, जुत्तो जीवो न खरसिंगं ॥२०१८॥ ( वेदपदानां चार्थं, न सुष्ठ जानास्येषां तं श्रुणु । अशरीरव्यपदेशोऽधन इव सतो निषेधात् ॥ ननिषेधतश्चान्यस्मिंस्तद्विध एव प्रत्ययो येन । તેના શરીર પ્રહ, યુવતો નીવો ન ઘરમ્ I)
ગાથાર્થ - હે પ્રભાસ ! તમે વેદપદોના અર્થોને સમ્યક્ટ્રકારે જાણતા નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે તે તમે સાંભળો. “શરીર” આવો જે શબ્દ છે તે “થન'' શબ્દની જેમ સવસ્તુમાં જ શરીરનો નિષેધ સૂચવનારો છે. (પથુદાસ) નમ્ વડે નિષેધ કરેલ હોવાથી તેની સદેશ એવી અન્ય વસ્તુમાં જ તે બોધ કરાય છે. તેથી “શરીર” શબ્દના ગ્રહણથી જ મુક્તાવસ્થામાં જીવ છે એમ માનવું જ યોગ્ય છે. પરંતુ ખરઝંગ જેવો જીવ અસત્ થઈ જાય છે આમ માનવું યોગ્ય નથી. //ર૦૧૭-૨૦૧૮ll