________________
૬૧૬
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
વિવેચન - હે પ્રભાસજી ! તમે ફક્ત યુક્તિને જ નથી જાણતા એમ નહીં, પણ યુક્તિને તથા વેદનાં પદોના સાચા અર્થને પણ તમે નથી જાણતા. તેથી તે વેદના પદોના સાચા અર્થને તમે સાંભળો -
હૈ સશરીરશ્ય પ્રિયપ્રિયયોરપતિરતિ” આ એક વાક્ય છે. તથા “અશરીરે વાં વસતં પ્રિયાપ્રિયે શતઃ' આ બીજું વાક્ય છે. આ બન્ને વાક્યો પૈકી પ્રથમ વાક્ય સુગમ હોવાથી આ બન્ને ગાથામાં તે પ્રથમ વાક્યનો અર્થ સમજાવ્યો નથી. તો પણ સુખપૂર્વક બોધ થાય એટલા માટે કંઈક વ્યાખ્યાન પ્રથમ વાક્યનું પણ કરાય છે.
ન એવો જે શબ્દ છે તે નિષેધવાચક અવ્યય છે. અને વૈ શબ્દો પણ અવ્યય છે અને તે દિના અર્થમાં છે. હિ એટલે યમાત્ અર્થાત્ દિ એટલે જે કારણથી, આ જ અર્થ ૮ અને વૈ શબ્દનો કરવો. સદ શરીરનું વર્તતે રૂતિ સશરીર = શરીરની સાથે જે વર્તે તે જીવને સશરીર કહેવાય છે. અહીં પ્રવ શબ્દ વાક્યમાં નથી તો પણ એવકાર અર્થવાળો gવ શબ્દ સ્વયં સમજી લેવો. તેથી સશરીરāવ શરીરવાળા જીવને જ પ્રિયાપ્રિયનો એટલે કે સુખ અને દુઃખનો મપત્તિ = વિનાશ હોતો નથી. અર્થાત અશરીરી જીવને સુખ-દુઃખનો વિનાશ નથી હોતો એમ નહીં. એટલે કે તેને સુખ-દુઃખનો નાશ હોય છે. સશરીરી જીવને જ સુખ-દુઃખનો નાશ હોતો નથી અર્થાત્ તે સશરીરી જીવને સુખ-દુઃખ હોય જ છે. તેથી મશરીર પણે એટલે કે શરીરરહિતપણે મુક્ત અવસ્થામાં વર્તતા જીવને પ્રિયાપ્રિય (એટલે સુખ-દુઃખ) સ્પર્શતાં નથી.
ઉપરોક્ત વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે - જ્યાં સુધી આ જીવ સશરીરી છે. ત્યાં સુધી સુખની સાથે અથવા દુઃખની સાથે એમ બેમાંથી એકની સાથે સદાકાલ જોડાયેલો જ રહે છે. ક્યારેય પણ મુકાયેલો બનતો નથી. પરંતુ અશરીરીપણે રહેલો આ જીવ વેદનીયકર્મના ક્ષયવાળો બનેલ હોવાથી ક્યારેય પણ સુખ-દુઃખની સાથે જોડાતો નથી. આ વેદવાક્યનો આવો અર્થ સાચો હોતે છતે જે આ “શરીર'' એવા પ્રકારનો શબ્દ વ્યવહાર કરેલો છે. તે શરીરરહિતપણે કેવલ એકલા જીવરૂપે સત્ = રહેલા પદાર્થને આશ્રયીને જ વિધાન કરેલ છે. પણ સર્વથા નાશ પામેલા જીવને આશ્રયી આ વિધાન નથી. કારણ કે
શરીર શબ્દમાં જે પૂર્વમાં નિષેધવાચક નન્ છે તે વસ્તુ સત્ હોય તેમાં જ બીજા પર્યાયનો નિષેધ જણાવાય છે. સર્વથા અસત્ વસ્તુમાં નિષેધ જણાવાતો નથી. જેમકે “થનો' તેવદ્રત્ત: = ધન નથી જેને એવો આ દેવદત્ત છે. અહીં છતા એવા દેવદત્તમાં ધનનો નિષેધ જણાવાય છે. પરંતુ દેવદત્ત ખરવિષાણતુલ્ય સર્વથા અસત્ નથી. ધનવાળી અવસ્થામાં અને ધન વિનાની અવસ્થામાં દેવદત્ત તો તેનો તે જ રહે છે. માત્ર ધનનું અસ્તિત્વ અને નાસ્તિત્વ જણાવાય છે. તેવી જ રીતે સશરીરી અવસ્થા હોય કે અશરીરી અવસ્થા હોય એમ બનેમાં