________________
૫૮૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
આબાધાના હેતુઓનો અભાવ હોવાથી મોક્ષના જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા અને ઉત્કૃષ્ટ સુખવાળા (સર્વ પીડા વિનાના) છે. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
સૌ પ્રષ્ટજ્ઞાનવીન, ક્ષીનિ:શેષાવર ત્રિીત્ આ મુક્તાત્મા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે. કારણ કે સમસ્ત આવરણોનો ક્ષય કરેલો છે. તથા મથે મુતાત્મા સર્વાવાળાદિત:,
વધતૂના સર્વેષ વેદ્રનીયેતીનાં સર્વથા૫માત્ = આ મુક્તાત્મા સર્વ પીડા વિનાના છે. કારણ કે સર્વ પીડાઓના હેતુભૂત વેદનીયકર્મ વગેરેનો સર્વથા નાશ થયો છે માટે. આવા પ્રકારનાં અનુમાનોથી મુક્તાત્મામાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ સુખ સિદ્ધ થાય છે.
વળી આવું અનુમાન પણ થઈ શકે છે - મર્થ અવતાત્મ સ્વાભાવિન સ્કેન પ્રકાશન પ્રવેશવાન, સમતપ્રવેશાવર રહિતત્વ, તુદિનાંશુવત્ = આ મોક્ષમાં ગયેલો આત્મા સ્વાભાવિક પોતાના જ્ઞાનપ્રકાશ વડે અનંતપ્રકાશવાળા છે. કારણ કે પ્રકાશ ઉપરનાં સમસ્ત આવરણો વિનાના છે. તેથી ચંદ્રમાની જેમ સ્વયં પ્રકાશવાળા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
स्थितः शीतांशुवजीवः, प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥१॥
ચંદ્રમાની જેમ સ્વાભાવિક ભાવશુદ્ધિ વડે મુક્તાત્મા ત્યાં રહેલ છે. તેમનું વિજ્ઞાન ચાંદની જેવું છે અને તેના ઉપરનું આવરણ વાદળની તુલ્ય છે. ll૧]
तथा मुक्तात्मा अनाबाधसुखः, समस्ताबाधहेतुरहितत्वात् ज्वराद्यपगमे स्वच्छातुरवत् = મોક્ષનો આત્મા પીડા વિનાના સુખવાળો છે. પીડાનાં જે સમસ્ત કારણો છે તેનાથી રહિત છે માટે, જેમ તાવ વગેરે પીડાઓ દૂર થયે છતે સ્વચ્છ અને નિરોગી થયેલો પુરુષ. શાસ્ત્રમાં કહ્યું છે કે –
स व्याबाधाभावात् सर्वज्ञत्वाच्च भवति परमसुखी । व्याबाधाभावोऽत्र, स्वच्छस्य तस्य परमसुखम् ॥१॥
તે મુક્તાત્મા પીડા વિનાના હોવાથી તથા સર્વજ્ઞ હોવાથી પરમસુખી છે. સ્વચ્છ એવા તે આત્માને અહિં સર્વથા પીડાનો જે અભાવ છે તે જ પરમસુખ છે. ll૧૯૯રા/
અહીં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે - मुत्तो करणाभावादण्णाणी खं व, नणु विरुद्धोऽयं । जमजीवया वि पावइ, एत्तोच्चिय भणइ तन्नाम ॥१९९३॥