________________
૫૭૦
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
કર્મનો નાશ થયે છતે કર્મથી પ્રાપ્ત થતા ઉપરોક્ત અવસ્થાવાળા સંસારનો નાશ સંભવી શકે છે. કારણનો અભાવ થાય એટલે કાર્યનો પણ અભાવ થાય આ વાત સારી રીતે પ્રચલિત છે. કર્મ એ કારણ છે અને નારકાદિ પર્યાયરૂપ સંસાર એ કાર્ય છે. તેથી કર્મના નાશથી નારકાદિ પર્યાયાત્મક સંસારનો નાશ થાય એ વાત યુક્તિસંગત છે. પરંતુ જીવમાં રહેલું જીવત્વ એ કર્મકૃત નથી. અનાદિકાલથી જીવમાં જીવત્વ સહજસ્વભાવે પ્રવર્તેલું છે અર્થાત્ પારિણામિકભાવ છે. તેથી કર્મોનો નાશ થવા છતાં પણ કર્મોથી ન બનેલું અને સહજ સ્વભાવે રહેલું એવું જીવદ્રવ્ય કેમ નાશ પામે ? માટે કર્મ નાશ થવા છતાં જીવદ્રવ્યનો નાશ થતો નથી. તેથી જીવ રહે છે અને મોક્ષ ઘટે છે. કારણની નિવૃત્તિ એ કાર્યની નિવર્તક છે. જેમકે અગ્નિકારણ દૂર થઈ જાય તો દાહાત્મક કાર્ય ન થાય. તથા વ્યાપકની નિવૃત્તિ થાય તો વ્યાપ્યની પણ નિવૃત્તિ થાય એટલે કે વ્યાપકની નિવૃત્તિ એ વ્યાપ્યની નિવર્તક છે. જેમકે અગ્નિ બુઝાઈ ગયે છતે વ્યાપ્ય એવો ધૂમ સંભવતો નથી.
કર્મ એ જીવદ્રવ્યનું કારણ પણ નથી અને વ્યાપક પણ નથી. માટે કર્મનું નિવર્તન થવા છતાં જીવદ્રવ્ય નિવર્તન પામતું નથી. તેથી કર્મોનો નાશ થવા છતાં મૂલદ્રવ્યસ્વરૂપ એવો જીવ નાશ પામતો નથી. કર્મકૃત નારકાદિ અવસ્થાઓ નાશ પામે છે. પણ અકર્મકૃત (કર્મકૃત ન હોય) એવું જીવદ્રવ્ય નાશ પામતું નથી. બલ્ક કર્મરહિત થયું છતું શુદ્ધસ્વરૂપે આ જીવદ્રવ્ય વધારે ચમકે છે અને તે જ મોક્ષ છે. ૧૯૭૯-૧૯૮૦
હવે બીજી યુક્તિથી પણ જીવનો વિનાશ થતો નથી. તે યુક્તિ કહે છે - न विगाराणुवलंभादागासं पिव विणासधम्मो सो । इह नासिणो विगारो दीसइ कुंभस्स वाऽवयवा ॥१९८१॥ (न विकारानुपलम्भादाकाशमिव विनाशधर्मा सः । રૂદ નાશિનો વિકારો તુતે, મચેવાવવા. )
ગાથાર્થ - વિકાર ન દેખાતા હોવાથી આકાશની જેમ તે જીવ વિનાશધમ નથી. જે વિનાશી વસ્તુ હોય છે તેના વિકારો (અવયવો) દેખાય છે. જેમકે કુંભ નાશ પામ્ય છતે તેના અવયવો (ઠીકરાં). //૧૯૮૧
વિવેચન - વિના નીવ: = જીવદ્રવ્ય એ વિનાશ પામવાના સ્વભાવવાળું નથી. (આ પ્રતિજ્ઞા થઈ.) વિર નુપત્નગ્ધાત્ = વિકારો (વસ્તુ નાશ પામ્યા પછી તેના ખંડ-ખંડ જે અવયવો-ટુકડાઓ) થાય છે. તે દેખાતા નથી માટે (આ હેતુ છે). આ સંસારમાં