SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૫૭૧ જે જે વસ્તુ વિનાશધર્મવાળી છે. તેના તેના ટુકડા (ખંડ-ખંડ અવયવો) દેખાય છે. જેમકે મુદ્ગર અથવા પત્થર આદિ વડે નાશ પામતા ઘટના કપાલસ્વરૂપે (ઠીકરાં સ્વરૂપે) અવયવો = ટુકડાઓ. આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું. જે અવિનાશી હોય છે. તેના વિકારો = ટુકડાઓ થતા નથી તેથી તે વિકારોનું (ટુકડાઓનું) દર્શન થતું નથી. જેમકે આકાશદ્રવ્ય. આ રીતે જીવદ્રવ્યનો નાશ થતો નથી. પરંતુ જીવદ્રવ્ય નિત્ય છે. તેથી મોક્ષમાં ગયેલો જીવ પણ નિત્ય = સદાકાલ રહે જ છે. તેનો ક્યારેય પણ નાશ થતો નથી. આ રીતે મુક્તિગત જીવદ્રવ્ય નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે. ll૧૯૮૧ પ્રશ્ન - જીવદ્રવ્ય નિત્ય હોવાથી મોક્ષ નિત્ય છે. તેથી પ્રતિક્ષણ વિનાશી ભલે ન હો. અર્થાત્ મોક્ષ એ ક્ષણિક ભલે ન હો. તો પણ ઘટ-પટની જેમ કૃતક હોવાથી (કરાયેલોઆદિવાળો હોવાથી) કાલાન્તરવિનાશી તો થશે જ. મોક્ષ: તાત્તરવિનાશી વૃદ્ધત્વત્ દિપવિત્ આવો તમે પ્રશ્ન કરો તો તે અયુક્ત છે. કારણ કે ન્યાયની પરિભાષા પ્રમાણે તત્વ હેતુ ઘટ-પટાદિના પ્રધ્વસાભાવ સ્વરૂપ વિપક્ષવૃત્તિ હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ વાત જણાવતાં કહે છે કે - कालंतरनासी वा घडोव्व कयगाइयो मई होज्जा । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्चो ॥१९८२॥ (कालान्तरनाशी वा घट इव कृतकादितो मतिर्भवेत् । નો પ્રäસામાવો મુવિ, તથર્યાપિ યદ્ નિત્ય: I) ગાથાર્થ - મોક્ષ એ કૃતકાદિભાવવાળો હોવાથી ઘટ-પટની જેમ કાલાન્તરવિનાશી છે આવી મતિ કદાચ થાય તો તે ઉચિત નથી. કારણ કે પૃથ્વી ઉપર પ્રāસાભાવ કૂતકાદિ ભાવવાળો હોવા છતાં પણ નિત્ય (અનંત) છે. ll૧૯૮૨/ વિવેચન - જ્યારે જીવ કર્મરહિત થાય છે ત્યારે મોક્ષ પામે છે અને તે મોક્ષ નિત્ય છે. એટલે કે અનંતકાલ રહે છે એમ આપ સમજાવો છો. પરંતુ અહીં એક પ્રશ્ન થાય છે કે જે જે વસ્તુ કૃતક (કૃત્રિમ) હોય છે આદિ શબ્દથી ઉત્પત્તિ ધર્મવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય કાલાન્તરે વિનાશ પામનારી હોય છે. જેમકે ઘટ-પટ ઈત્યાદિ પદાર્થો કૃતક છે, ઉત્પત્તિધર્મવાળા છે, સાદિ છે. તેથી અવશ્ય બે-ચાર વર્ષ રહીને પણ વિનાશ પામનારા હોય છે. તેમ મોક્ષ પણ કૃતક છે, ઉત્પત્તિધર્મવાળો છે, સાદિ છે. માટે અવશ્ય બે-પાંચદશ વર્ષે પણ વિનાશ પામનાર છે. પણ તેથી એ નિત્ય (અનંત) નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે -
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy