________________
૫૬૪
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ તથા ત્રીજા પદમાં બ્રહ્મ બે પ્રકારનું છે એક પર અને બીજું અપર, તેમાં જે પરં દ્રી સત્યં મોક્ષ:, અનન્તરં તુ વ્ર જ્ઞાનમ્ “પરમ એવું આત્મસ્વરૂપ એ જ સાચો મોક્ષ છે. તે પ્રાપ્ત થાય ત્યારે તુરત જ આત્મજ્ઞાન પ્રવર્તે છે. આ વાક્ય પણ મોક્ષના અસ્તિત્વને સૂચવે છે. આ પ્રમાણે મોક્ષનું અસ્તિત્વ અને મોક્ષનું નાસ્તિત્વ વેદનાં પદોમાં કહેલું જાણીને તમારા હૃદયમાં સંશય થયેલો છે. પરંતુ આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. ખરેખર તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હમણાં કહેવાશે. ll૧૯૭૩-૧૯૭૪
મોક્ષ નથી” આવી મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારી પ્રભાસજીના હૃદયમાં રહેલી યુક્તિને પણ ખોટી છે. એમ જણાવવા માટે ભગવાન તે યુક્તિને પ્રગટ કરતાં કહે
मन्नसि किं दीवस्स व नासो निव्वाणमस्स जीवस्स । दुक्खक्खयाइरूवा किं होज व से सओऽवत्था ? ॥१९७५ ॥ (मन्यसे किं दीपस्येव नाशो निर्वाणमस्य जीवस्य । તુક્ષયવિરૂપા વિં ભવેત્ વ તી સતોવસ્થા? )
ગાથાર્થ - હે પ્રભાસજી ! તમે મનમાં આવું વિચારો છો કે દીપકના નાશની જેમ આ જીવનો સંપૂર્ણપણે ધ્વંસ થાય તે નિર્વાણ કહેવાય છે ? કે સત્ એવા આ જીવની દુઃખાદિના સંપૂર્ણ ક્ષય સ્વરૂપ એવી કોઈ વિશિષ્ટ અવસ્થા છે કે જેને નિર્વાણ કહેવાય છે ? ll૧૯૭૫ll
વિવેચન - હે પ્રભાસજી ! તમારા મનમાં નિર્વાણના વિષયમાં બે જાતની વિચારધારા પ્રવર્તે છે. તે આ પ્રમાણે -
(૧) જેમ દીપક સર્વથા બુઝાઈ જાય છે ત્યારે દીપક નિર્વાણ પામ્યો એમ કહેવાય છે. તેવી રીતે જીવનો સંપૂર્ણપણે ધ્વંસ થાય અર્થાત્ નાશ થઈ જાય ત્યારે નિર્વાણ કહેવાય. જેમ બૌદ્ધદર્શન આદિ કેટલાક દર્શનકારો કહે છે. તેમ જીવનની સમાપ્તિ થવી તે જ મોક્ષ. તે આ પ્રમાણે -
दीपो यथा निर्वृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा निर्वृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित् क्लेशक्षयात् केवलमेति शान्तिम् ॥२॥