SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ I પ્રભાસ નામના અગિયારમા ગણધર I. હવે પ્રભાસ નામના અગિયારમા ગણધરનો અધિકાર જણાવે છે - ते पव्वइए सोउं, पहासो आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१९७२॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, प्रभास आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥ ગાથાર્થ - તે દશેને દીક્ષિત થયેલા સાંભળીને પ્રભાસ નામના અગિયારમા બ્રાહ્મણ પંડિત જિનેશ્વરપ્રભુ પાસે આવે છે. મનમાં વિચાર કરે છે કે હું જલ્દી જલ્દી જાઉં. પ્રભુને વંદન કરું અને વંદન કરીને પ્રભુની સેવા કરું. l/૧૯૭૨ // વિવેચન - ત્યાં ગયેલા દશ મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોને પરાભવ પામેલા સાંભળીને અને પરમાત્માની પાસે જૈનીય પ્રવ્રજ્યા સ્વીકાર્યાના સમાચાર જાણીને છેલ્લા પ્રભાસ નામના પંડિતજી મનમાં વિચારે છે કે હું પણ ભગવાન પાસે જલ્દી જલ્દી જાઉં. પરમાત્માને ભાવથી વંદના કરું. મારા હૃદયનો પ્રશ્ન પૂછીને સાચો ઉત્તર મેળવું અને પરમાત્માના ચરણકમલની ઉપાસના (સેવા) કરું. આવી સુંદર ભાવના ભાવતા ભાવતા પોતાના શિષ્ય-પરિવાર સાથે પ્રભાસજી પણ ભગવન્તની પાસે આવ્યા. ૧૯૭૨I/ ૩મો ય નિuf, નાડું-નર-મરપવિપ્રમુavi Il नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९७३॥ किं मन्ने निव्वाणं, अत्थि नत्थि त्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९७४॥ (સમષિતશ નિન, નાત-ન-મ-વિપ્રમુવર્તન | નાના ગોત્ર ૨, સર્વન સર્વર્શિના ) (किं मन्यसे निर्वाणमस्ति नास्तीति संशयस्तव । વેપતાનાં વાર્થ, ન નાનાસિ તેષામયમર્થ: I) ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી વિશેષ મુકાયેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વરપ્રભુ વડે નામ અને ગોત્રથી પ્રભાસજીને બોલાવાયા. હે પ્રભાસજી ! તમે મનમાં
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy