________________
પ૬
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
અવસ્થામાં પણ મારું સોનું તો તેનું તે જ રહે છે એમ ઉભય અવસ્થામાં પણ રાજાને સુવર્ણનો અવિનાશ = ધૃવત્વ જ દેખાય છે. તેથી હર્ષ-શોક વિનાની ઉદાસીન અવસ્થાવાળો રહે છે. જ્યારે રાજપુત્રીને કલશનો નાશ માત્ર દેખાય છે તેથી શોક થાય છે. રાજપુત્રને દડાનો ઉત્પાદમાત્ર દેખાય છે. તેથી હર્ષ થાય છે. આવા પ્રકારનો જે આ લોકવ્યવહાર પ્રસિદ્ધ છે તે સર્વ લોકવ્યવહારનો જો વસ્તુને ઉત્પાદ-વ્યય અને ધ્રુવસ્વરૂપે ન સ્વીકારીએ તો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી જીવ દ્રવ્ય પણ ઘટોપયોગપણે વિનાશ અને પટોપયોગપણે ઉત્પાદ પામવા છતાં પણ જીવ નામના દ્રવ્યસ્વરૂપે અવિનાશી એટલે કે ધ્રુવ પણ છે. તેથી પરલોકનો અભાવ થતો નથી.
સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ પ્રતિક્ષણે પૂર્વ-પૂર્વ પર્યાયરૂપે નાશ પામે છે અને નવા નવા પર્યાયરૂપે પ્રતિક્ષણે ઉત્પત્તિ પણ પામે જ છે. છતાં પૂર્વાપર થતા પર્યાયોની અવિવક્ષા કરીએ અને મૂલભૂત દ્રવ્યરૂપે વિચારીએ તો ધ્રુવસ્વરૂપ પણ રહે જ છે. આવા પ્રકારની સ્વયં જગસ્થિતિ છે. જીવ-અજીવ આદિ સર્વે પણ પદાર્થોનો આવા પ્રકારનો ઉત્પાદ-વ્યય-ધ્રુવધર્માત્મક ત્રિપદીમય સ્વભાવ જ છે. પદાર્થોના પોતાના ત્રિપદીમય સ્વભાવને છોડીને આ જગતનો ઈશ્વરાદિ કોઈ કર્તા નથી તથા કોઈ સંહર્તા નથી. તથા કોઈ સંરક્ષક કે પાલક નથી. જગત્ સ્વયં પોતાના સ્વભાવથી જ ત્રિપદીમય છે. ll૧૯૬૮-૧૯૬૯
- જો સ્વર્ગલોકાદિ રૂપ પરલોક ન સ્વીકારીએ તો વેદમાં કહેલી અગ્નિહોત્રાદિ ધર્મક્રિયાઓ તથા લોકપ્રસિદ્ધ દાનાદિ ક્રિયાઓ નિષ્ફળ થવાની આપત્તિ પણ આવે તે બાબત જણાવે છે -
असइ व परम्मि लोए, जमग्गिहोत्ताइ सग्गकामस्स । तदसंबद्धं सव्वं, दाणाइफलं च लोअम्मि ॥१९७०॥ (असति वा परस्मिँल्लोके, यदग्निहोत्रादि स्वर्गकामस्य । તસંબદ્ધ સર્વ, તાનાવિનં ર નો )
ગાથાર્થ - જો પરલોક ન હોય તો સ્વર્ગની કામનાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞનું જે વિધાન છે તે તથા લોકમાં જે દાનાદિ ધર્મક્રિયાઓનું પુણ્યફળ પ્રસિદ્ધ છે તે સર્વ ઘટી શકે નહીં. ll૧૯૭oll
| વિવેચન - જો ચૈતન્ય ગુણવાળો આ જીવ કથંચિત્ નિત્ય ન હોય અને સર્વથા ક્ષણિક જ હોય અને તેના કારણે જો પરલોક ન હોય અર્થાત્ જીવના મૃત્યુ બાદ તેનું જો પરભવગમન ન હોય તો વેદપાઠોમાં તથા શ્રુતિશાસ્ત્રોમાં સ્વર્ગની કામનાવાળાએ
ળ