SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય ૫૫૩ હોવાથી “ઉત્પત્તિમત્ત્વ” નામનો પ્રથમ હેતુ સાધ્યની સાથે જેમ વ્યાપ્ત છે. તેમ સાધ્યાભાવની સાથે પણ વ્યાપ્ત હોવાથી વ્યભિચારી હેત્વાભાસ થાય છે. અથવા જેમ અનિત્ય સિદ્ધ થાય છે તેમ કથંચિ નિત્ય પણ જરૂર સિદ્ધ થાય છે. કારણ કે પારમાર્થિક રીતિએ સર્વે વસ્તુ ત્રણ ધર્મવાળી જ છે. તે કારણે ઉત્પત્તિમત્તે હેતુથી જેમ વિનાશિત્વ સિદ્ધ થાય છે તેમ ત્રીજો ધર્મ જે ધૃવત્વ છે તે પણ આ જ ઉત્પત્તિમત્તે હેતુથી સિદ્ધ થાય છે. માટે આ ઉત્પત્તિમત્ત્વહેતુ સાધ્યની સાથે જેમ વર્તે છે. તેમ સાધ્યાભાવની સાથે પણ વર્તે છે તથા વસ્તુત્વધર્મની અપેક્ષાએ નિત્યત્વ પણ સિદ્ધ થાય જ છે. માટે પ્રત્યનુમાન વિદ્યમાન હોવાથી મૂલ અનુમાનનો હેતુ વ્યભિચારી હત્ત્વાભાસ કહેવાય છે. પ્રશ્ન - કદાચ અહીં મેતાર્યજીની આવી બુદ્ધિ થાય, અર્થાત્ શિષ્યને કદાચ આવો પ્રશ્ન થાય કે – ૧૯૬૧મી ગાથાના ઉત્તરાર્ધમાં “નy યે વિય સાહપાવિ સિત્તે વિ' ઈત્યાદિ જે પાઠ કહ્યો છે ત્યાં પરને કદાચ આવી શંકા થાય કે ઉત્પત્તિમત્તે હેતુથી વિનાશિત્વ તો ઘટની જેમ સિદ્ધ થાય, પરંતુ તે જ હેતુથી જો અવિનાશિત્વ સાધ્ય સિદ્ધ કરો તો દષ્ટાન્ત રૂપે મૂકેલા ઘટમાં તકલીફ પડે. કારણ કે તે ઘટમાં અવિનાશીપણું કેમ સિદ્ધ થાય ? કોઈ રીતે સિદ્ધ થાય નહીં. કારણ કે ઘટ વિનાશી તરીકે જ સુપ્રસિદ્ધ છે. તેથી દૃષ્ટાન્તીભૂત એવા ઘટમાં ઉત્પત્તિમત્ત્વ હેતુ છે. પરંતુ વિનાશી જ હોવાથી અવિનાશિત્વ સાધ્ય તેમાં ઘટતું નથી. આ રીતે અવિનાશિત્વ સાધ્યની અસિદ્ધિ હોવાથી દૃષ્ટાન્તમાં વ્યાપ્તિ ન લાગવાથી દાન્તિક એવું વિજ્ઞાન પણ “અવિનાશી” છે એવું સિદ્ધ થઈ શકશે નહીં. આમ પરનું પૂછવું છે. પરના હૃદયનો આવો અભિપ્રાય છે. સારાંશ કે દૃષ્ટાન્ત રૂપે મુકાયેલ ઘટ વિનાશી જ છે આ વાત જગતમાં પ્રસિદ્ધ છે. માટે જ્યાં જ્યાં ઉત્પત્તિમત્ત્વ હોય ત્યાં ત્યાં અવિનાશિત્વ હોય આ વ્યાપ્તિ દૃષ્ટાન્તીભૂત એવા ઘટમાં ઘટતી નથી. તેથી દાન્તિક એવા વિજ્ઞાનમાં પણ ઘટશે નહીં. તેથી ચૈતન્ય (આત્મા) અવિનાશી (નિત્ય) સિદ્ધ થશે નહીં. તેથી પરલોકનો તો અભાવ જ રહેશે. ૧૯૬૨ા. આ પ્રશ્નનો ઉત્તર કહે છે - રૂવ-રસ-મધ-પાણી, સંવા-સંતાપ-ત્ર-સત્તી | कुम्भोत्ति जओ ताओ पसूइ-विच्छित्ति-धुवधम्मा ॥१९६३॥ (રૂપ-ર-ન્ય-સ્પર્શી, સદ્ય-સંસ્થાન-દ્રવ્યશવતિયઃ | कुम्भ इति यतस्ताः प्रसूति-व्यवच्छित्ति-ध्रुवधर्माणः ॥)
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy