________________
૫૫૨
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય જેમ ઉત્પત્તિમાન્ હોવાથી વિજ્ઞાન વિનાશી છે એમ તમે કહો છો તેમ ઉપરોક્ત અનુમાન દ્વારા આ જ હેતુથી નિત્યત્વ પણ સિદ્ધ કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુ ઉત્પત્તિવાળી છે તે તે વસ્તુ ત્રિપદીવાળી હોવાથી દ્રવ્યદૃષ્ટિએ ધ્રુવ-નિત્ય પણ અવશ્ય છે જ. આ રીતે વિજ્ઞાન નિત્ય સિદ્ધ થવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ દ્રવ્યદૃષ્ટિએ કથંચિ નિત્ય અવશ્ય છે જ. તેથી પરલોકનો અભાવ થતો નથી. ૧૯૬ ૧|
અથવા “ઉત્પત્તિત્ત્વિ" આ હેતુ જેમ વિનાશિત્વ સાધ્યની સાથે પર્યાય અપેક્ષાએ ઘટે છે તેમ આ જ ઉત્પત્તિમત્ત્વ હેતુ સાધ્યથી વિરુદ્ધ એવા વિનાશિત્વ ની સાથે પણ દ્રવ્યદૃષ્ટિએ અવ્યભિચારીપણે સંભવે છે. તેથી પ્રતિસ્પર્ધી અનુમાન પણ થઈ શકે છે. તે પ્રતિસ્પધી અનુમાન શું છે ? તે કહે છે -
अहवा वत्थुत्तणओ विणासि चेओ न होइ कुम्भो व्व । उप्पत्तिमदादित्ते कहमविणासी घडो बुद्धी ? ॥१९६२॥ (अथवा वस्तुत्वतो विनाशि चेतो न भवति कुम्भ इव । ઉત્પત્તિમાં િવમવિનાશી પદદ્ધિ ? )
ગાથાર્થ - અથવા ચૈતન્ય એ વસ્તુ હોવાથી કુંભની જેમ અવિનાશી છે. (એકાન્ત વિનાશી નથી) પ્રશ્ન-ઉત્પત્તિમદ્ વગેરે હેતુ હોતે છતે ઘટ અવિનાશી કેમ કહેવાય ? આવી કદાચ પરની બુદ્ધિ થાય. ll૧૯૬ર/
વિવેચન - જો કે પ્રશ્નકાર એવા મેતાર્યજીએ “ઉત્તમત્ત્વ' હેતુને ગાથા ૧૯૬૧ ના પૂર્વાર્ધમાં “વિનાશિત્વ” સાધ્ય સાધવામાં જોડેલ છે. પરમાત્માએ આ જ હેતુને એકાન્ત વિનાશિત્વ સાધ્ય સિદ્ધ કરવામાં અનૈકાન્તિક હેત્વાભાસ ૧૯૬૧ના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે. તથા વિપરીતસાધ્ય સાધવામાં એટલે કે અવિનાશિત્વ સાધ્ય સાધવામાં આ જ હેતુને અવ્યભિચારી અર્થાત્ સાચો હેતુ કહ્યો છે. તે પ્રતિસ્પધી અનુમાન આ પ્રમાણે છે -
चेतः एकान्तेन विनाशि न भवति-अर्थात् कथञ्चिन्नित्यमपि भवति, उत्पत्तिमत्त्वात् આવું એક અનુમાન ૧૯૬૧મી ગાથાના ઉત્તરાર્ધમાં જ કર્યું છે. બીજું પણ આવું જ પ્રતિસ્પર્ધી અનુમાન સમજાવે છે ચેત: પાન્તર વિનાશ ન મવતિ, અર્થાત્ વનિત્યમ્
વ્યક્તિ વસ્તુત્વી શ્વવત્ = જેમ કુંભ એક વસ્તુ હોવાથી દ્રવ્યદૃષ્ટિએ કથંચિત્ નિત્ય છે. તે જ રીતે વિજ્ઞાન પણ દ્રવ્યદૃષ્ટિએ એક વસ્તુ સ્વરૂપ હોવાથી નિત્ય છે. તેથી એકાન્ત વિનાશી નથી. અર્થાત્ કથંચિત્ નિત્ય છે. તેથી આવા પ્રકારનું પ્રતિસ્પર્ધી અનુમાન વિદ્યમાન