SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય જેમ ઉત્પત્તિમાન્ હોવાથી વિજ્ઞાન વિનાશી છે એમ તમે કહો છો તેમ ઉપરોક્ત અનુમાન દ્વારા આ જ હેતુથી નિત્યત્વ પણ સિદ્ધ કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુ ઉત્પત્તિવાળી છે તે તે વસ્તુ ત્રિપદીવાળી હોવાથી દ્રવ્યદૃષ્ટિએ ધ્રુવ-નિત્ય પણ અવશ્ય છે જ. આ રીતે વિજ્ઞાન નિત્ય સિદ્ધ થવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ દ્રવ્યદૃષ્ટિએ કથંચિ નિત્ય અવશ્ય છે જ. તેથી પરલોકનો અભાવ થતો નથી. ૧૯૬ ૧| અથવા “ઉત્પત્તિત્ત્વિ" આ હેતુ જેમ વિનાશિત્વ સાધ્યની સાથે પર્યાય અપેક્ષાએ ઘટે છે તેમ આ જ ઉત્પત્તિમત્ત્વ હેતુ સાધ્યથી વિરુદ્ધ એવા વિનાશિત્વ ની સાથે પણ દ્રવ્યદૃષ્ટિએ અવ્યભિચારીપણે સંભવે છે. તેથી પ્રતિસ્પર્ધી અનુમાન પણ થઈ શકે છે. તે પ્રતિસ્પધી અનુમાન શું છે ? તે કહે છે - अहवा वत्थुत्तणओ विणासि चेओ न होइ कुम्भो व्व । उप्पत्तिमदादित्ते कहमविणासी घडो बुद्धी ? ॥१९६२॥ (अथवा वस्तुत्वतो विनाशि चेतो न भवति कुम्भ इव । ઉત્પત્તિમાં િવમવિનાશી પદદ્ધિ ? ) ગાથાર્થ - અથવા ચૈતન્ય એ વસ્તુ હોવાથી કુંભની જેમ અવિનાશી છે. (એકાન્ત વિનાશી નથી) પ્રશ્ન-ઉત્પત્તિમદ્ વગેરે હેતુ હોતે છતે ઘટ અવિનાશી કેમ કહેવાય ? આવી કદાચ પરની બુદ્ધિ થાય. ll૧૯૬ર/ વિવેચન - જો કે પ્રશ્નકાર એવા મેતાર્યજીએ “ઉત્તમત્ત્વ' હેતુને ગાથા ૧૯૬૧ ના પૂર્વાર્ધમાં “વિનાશિત્વ” સાધ્ય સાધવામાં જોડેલ છે. પરમાત્માએ આ જ હેતુને એકાન્ત વિનાશિત્વ સાધ્ય સિદ્ધ કરવામાં અનૈકાન્તિક હેત્વાભાસ ૧૯૬૧ના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે. તથા વિપરીતસાધ્ય સાધવામાં એટલે કે અવિનાશિત્વ સાધ્ય સાધવામાં આ જ હેતુને અવ્યભિચારી અર્થાત્ સાચો હેતુ કહ્યો છે. તે પ્રતિસ્પધી અનુમાન આ પ્રમાણે છે - चेतः एकान्तेन विनाशि न भवति-अर्थात् कथञ्चिन्नित्यमपि भवति, उत्पत्तिमत्त्वात् આવું એક અનુમાન ૧૯૬૧મી ગાથાના ઉત્તરાર્ધમાં જ કર્યું છે. બીજું પણ આવું જ પ્રતિસ્પર્ધી અનુમાન સમજાવે છે ચેત: પાન્તર વિનાશ ન મવતિ, અર્થાત્ વનિત્યમ્ વ્યક્તિ વસ્તુત્વી શ્વવત્ = જેમ કુંભ એક વસ્તુ હોવાથી દ્રવ્યદૃષ્ટિએ કથંચિત્ નિત્ય છે. તે જ રીતે વિજ્ઞાન પણ દ્રવ્યદૃષ્ટિએ એક વસ્તુ સ્વરૂપ હોવાથી નિત્ય છે. તેથી એકાન્ત વિનાશી નથી. અર્થાત્ કથંચિત્ નિત્ય છે. તેથી આવા પ્રકારનું પ્રતિસ્પર્ધી અનુમાન વિદ્યમાન
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy