________________
ગણધરવાદ
૫૫૧
દશમ ગણધર - મેતાર્ય मन्नसि विणासि चेओ, उप्पत्तिमदादिओ जहा कुम्भो । नणु एयं चिय साहणमविणासित्ते वि से सोम्म ॥१९६१॥ (मन्यसे विनाशि चेत उत्पत्तिमदादितो यथा कुम्भः । નન્વેતવ સાધનમવિનાશિત્વેfપ તસ્ય સૌમ્ય )
ગાથાર્થ - હે મેતાર્ય ! તમે એમ માનો છો કે ચૈતન્ય એ ઉત્પત્તિ આદિ ધર્મવાળું હોવાથી ઘટની જેમ વિનાશી (અનિત્ય) છે. પરંતુ તે સૌમ્ય ! આ જ ઉત્પત્તિમત્વ હેતુ અવિનાશિપણામાં પણ સંભવે છે. //૧૯૬૧/l
વિવેચન - “જીવ વિજ્ઞાનમય છે અને તે અનિત્ય છે” આવું કહેતા તમે એમ કહેવા માગો છો કે ચેતના વિનાશી છે. કારણ કે ઉત્પત્તિ ધર્મવાળી છે ઘટની જેમ. અનુમાન પ્રયોગ આ પ્રમાણે - ચૈતન્ચ વિનશ્વર, ઉત્પત્તમસ્વીતું, સુમવત્ મૂલગાથામાં લખેલા મા શબ્દથી “પર્યાયત્વીત્” આવો હેતુ પણ જાણવો. જે કોઈ વસ્તુ ઉત્પત્તિવાળી છે અથવા જે કોઈ વસ્તુ પર્યાયસ્વરૂપ છે તે વસ્તુ અવશ્ય વિનાશી છે. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે ઘટ-પટ આ અન્વયે ઉદાહરણ છે. અથવા જેમ ખંભાદિ પદાર્થોમાં નવા-જુનાપણાના પર્યાયો છે માટે વિનાશી છે. આ રીતે ચૈતન્ય પણ ઉત્પત્તિ ધર્મવાળું અને પર્યાયાત્મક હોવાથી અનિત્ય છે. અને અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો જીવ પણ અનિત્ય થશે, તેથી પરલોકનો અભાવ થશે. આવા પ્રકારનો હે મેતાર્ય ! તમારા મનમાં અભિપ્રાય છે.
તમારો આ અભિપ્રાય (માન્યતા) યોગ્ય નથી. કારણ “વિજ્ઞાન” અનિત્ય જરૂર છે. પરંતુ એકાન્ત અનિત્ય નથી. અર્થાત્ કથંચિ અનિત્ય અને કથંચિ નિત્ય છે. તેથી હે સૌમ્ય ! તમારો આ જ હેતુ (આ જ પ્રમાણ) “વિજ્ઞાન અનિત્ય છે.” આવા પક્ષમાં જેમ વર્તે છે તેમ વિજ્ઞાન અવિનાશી છે = નિત્ય છે, આવા પક્ષમાં પણ વર્તે છે. તેથી સાધ્યની જેમ સાધ્યાભાવમાં પણ હેતુ વર્તતો હોવાથી તમારો કહેલો આ હેતુ અનેકાન્તિક હેત્વાભાસ થાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે - વાસ્તવિકપણે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતાથી યુક્ત છે અર્થાત્ સર્વ વસ્તુઓ ત્રિપદીવાળી છે. સર્વે પણ વસ્તુઓ દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયષ્ટિએ અનિત્ય છે. તેથી ઉત્પત્તિમત્તે હેતુથી જેમ વિનાશીપણું સિદ્ધ થાય છે તેમ એ જ ઉત્પત્તિમત્તે હેતુથી જ વસ્તુની ધ્રુવતા પણ સિદ્ધ થાય છે. તેથી કથંચિ નિત્યપણું પણ વસ્તુમાં છે જ. આ પ્રમાણે ઉત્પત્તિમત્ત્વ હેતુ જેમ વિનાશિત્વ સિદ્ધ કરે છે તેમ આ જ હેતુથી આવું પણ કહી શકાય છે કે વિજ્ઞાન નિત્યમ્, ઉત્પત્તિત્ત્વિ, પવિત્