________________
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
ગાથાર્થ - જે કારણથી રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-સંખ્યા-સંસ્થાન-માટીસ્વરૂપ દ્રવ્ય અને શક્તિ આ સર્વનો સમુદાય તે કુંભ કહેવાય છે. તેથી તે પ્રસૂતિ (ઉત્પત્તિ), વ્યવચ્છિત્તિ (વ્યય) અને ધ્રુવધર્મવાળો તે કુંભ છે. ૧૯૬૩
૫૫૪
વિવેચન - કુંભ એટલે ઘટ, અહીં ઘટ એ શું વસ્તુ છે ? તે પ્રથમ સમજીએ. નીલકૃષ્ણાદિ કોઈ એક પ્રકારનું રૂપ, તિક્તાદિ કોઈ એક પ્રકારનો રસ, સુરભિ-દુરભિમાંથી કોઈ એક ગંધ, મૃદુ-કર્કશાદિમાંથી કોઈ સ્પર્શ લક્ષણવાળા ગુણોનો સમુદાય, એક ઘટ હોય તો એક, બે-ત્રણ ઘટ હોય તો સમૂહને આશ્રયી બે અથવા ત્રણની સંખ્યા, નીચેથી પહોળો પહોળો અને પેટથી સાંકડો સાંકડો ઈત્યાદિ પૃથુબુઘ્નોદરાદિ આકારરૂપે સંસ્થાન, માટી નામનું દ્રવ્ય, જલાહરણ (પાણી ભરવું - ઘી ભરવું) ઈત્યાદિ કાર્ય કરવારૂપ શક્તિઓ આ સઘળા ભાવોનો જે સમુદાય તે કુંભ કહેવાય છે એટલે કે કુંભમાં ઉપરોક્ત બધા જ
ભાવો એકીસાથે વર્તે છે.
તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, સંસ્થાન, દ્રવ્ય અને શક્તિ, આ સર્વે ભાવો ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્ય ધર્મવાળા છે. એટલે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપવાળા છે. તેથી ઘટ ઉત્પત્તિવાળો હોવાથી અવિનાશી એટલે કે ધ્રુવ (નિત્ય) પણ સિદ્ધ થાય છે. આ વાત
હવે પછીની બે ગાથામાં વિસ્તારથી સમજાવે છે. તેથી આ ગાથામાં અમે વધારે વિવેચન લખતા નથી. ૧૯૬૩)
इह पिण्डो पिण्डागार - सत्ति-पज्जायविलयसमकालं । ૩૫ ફ-માાર-સત્તિ-પત્નાયવેળાo૧૬૪॥
रूवाइ दव्वयाए न जाइ न य वेइ तेण सो निच्चो । × ૩પ્પાય-ય-ધ્રુવસ્પન્હાવું મયં સર્વાં શ્॰૬॥ (વૃદ્ઘ પિણ્ડો પિઙાજાર-શક્તિ-પર્યાય વિનય-સમાનમ્ । उत्पद्यते कुम्भकार - शक्तिपर्यायरूपेण ॥
रूपादिद्रव्यतया न जायते न व्येति तेन स नित्यः । વિમુત્પાત-વ્યય-ધ્રૌવ્યસ્વમાવું માં સર્વમ્ ॥)
ગાથાર્થ - અહીં જે શ્રૃત્કિંડ છે તે પિંડાકારણે અને તેની શક્તિરૂપ પર્યાયપણે જે સમયે નાશ પામે છે. તે જ કાલે કુંભાકારણે અને કુંભની શક્તિ સ્વરૂપ પર્યાયપણે તે વસ્તુ ઉત્પન્ન થાય છે. તથા તે જ કાલે રૂપાદિ ગુણવાળાપણે અને દ્રવ્યસ્વરૂપે તે વસ્તુ