________________
૫૪૦
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિવેચન - આ સંસારમાં પુણ્યકર્મ એ સુખહેતુ છે અને પાપકર્મ એ દુઃખહેતુ છે. જો આવા પ્રકારનાં પુણ્ય અને પાપ અને સ્વતંત્ર કર્મો છે આવું ન માનીએ તો જૈન આગમાંથી બહારના શાસ્ત્રોમાં અર્થાત્ વેદાદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે કે સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો વગેરે કથન અર્થવાળું બને નહીં. નિરર્થક થઈ જાય, તથા દાનશીયલ આદિ ધર્મક્રિયાઓનું અને હિંસા-જુઠ-ચોરી આદિ પાપમય ક્રિયાઓનું ફળ અનુક્રમે પુણ્ય અને પાપ જે પ્રસિદ્ધ છે તેથી જ સામાન્યપણે લોકો દાનાદિમાં જોડાય છે અને હિંસાદિથી વિરામ પામે છે. તે સઘળીય વસ્તુ સંબંધ વિનાની થઈ જાય. કારણ કે સ્વર્ગની પ્રાપ્તિ થવી એ પુણ્યનું ફળ છે અને નરકાદિની પ્રાપ્તિ થવી એ પાપનું ફળ છે. તમારા મતે તો પુણ્ય-પાપ છે જ નહીં. તેથી સ્વર્ગ-નરક ઘટશે નહીં અને તેના હેતુભૂત પુણ્યક્રિયાઓનું સેવન અને તેવી પાપ ક્રિયાઓનો ત્યાગ નિષ્ઠયોજન થઈ જશે. તેથી પુણ્યકર્મ અને પાપકર્મ બન્ને ભિન્ન ભિન્ન છે જ, આમ સ્વીકારવું જોઈએ.
આ પ્રમાણે વેદનાં વચનોની પ્રમાણતા હોવાથી અને અનેક યુક્તિઓ પ્રભુ શ્રી મહાવીરસ્વામી પાસેથી સાંભળવાથી તે અચલભ્રાતાજીનો સંશય છેદાયો. સંશય છેદાયા પછી તે અચલભ્રાતાજીએ શું કર્યું ? તે હવે પછીની ગાથામાં કહે છે. I/૧૯૪૭
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहि ओ सह खंडियसएहिं ॥१९४८॥ (छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन । સ શ્રમUT: પ્રવ્રગત:, ત્રિમિતુ સદ ઘડિhશતૈ: ૫)
ગાથાર્થ – જરા અને મૃત્યુથી અત્યન્ત મુક્ત થયેલા એવા જિનેશ્વર પ્રભુ વડે અચલભ્રાતાજીનો સંશય દાયે છતે તે અચલભ્રાતજી નામના શ્રમણ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષિત થયા. //૧૯૪૮
વિવેચન - ભાવાર્થ ૧૯૦૪ ગાથાની જેમ સુગમ છે.
નવમા ગણધર શ્રી અચલભ્રાતાજીનો વાદ સમાપ્ત થયો.