SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ નવમા ગણધર - અચલભ્રાતા ગણધરવાદ પ્રશ્ન - કર્મગ્રંથ અને નવતત્ત્વાદિ અન્ય ગ્રન્થોમાં ૪૨ પુણ્ય પ્રકૃતિઓ સંભળાય છે તો અહીં ૪૬ કેમ કહી ? ઉત્તર - સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, હાસ્ય અને રતિમોહનીય આ ચાર કર્મો મોહનીયકર્મના ભેદ છે. એના પ્રતિપક્ષી કર્મો કરતાં આ કર્મો કંઈક સુખદાયી-પ્રમોદહેતુ છે. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીય કરતાં સમ્યત્વમોહનીય સારી, સ્ત્રી-નપુંસક વેદ કરતાં પુરુષવેદ સારો, અરતિ-શોક કરતાં હાસ્ય-રતિ સારું. આવી વિવક્ષાએ વ્યવહારનયને આશ્રયી આ ચાર પ્રકૃતિઓ પુણ્યમાં વધારે ગણતાં ૪૬ પુણ્યપ્રકતિઓ અહીં તથા તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહી છે. પરંતુ અન્ય આચાર્યો મોહનીયકર્મના સર્વે પણ ભેદો જીવમાં વિપર્યાયબુદ્ધિ કરવામાં હેતુ હોવાથી નિશ્ચયનયને આશ્રયી પાપ જ માને છે. તેથી તે ચાર કર્મો વિના બાકીની ૪૨ કર્મપ્રકૃતિઓને જ અન્ય આચાર્યો પુણ્ય કહે છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે - सायं उच्चागोयं, नरतिरिदेवाउयाइं तह नामे । देवदुगं मणुयदुगं, पणिंदिजाई य तणुपणगं ॥१॥ अंगोवंगाण तिगं, पढमं संघयणमेव संठाणं । सुभवण्णाइचउक्वं, अगुरुलहू तहय परघायं ॥२॥ ऊसासं आयावं उज्जोय विहगगई वि य पसत्था । तस बायर-पजत्तं, पत्तेय थिरं सुभं सुभगं ॥३॥ सुस्सर आएज जसं, निम्मिण तित्थयरमेव एयाओ । बायालं पगईओ, पुण्णं ति जिणेहिं भणिआओ ॥४॥ આ ચારે ગાથાઓમાં ૪૨ પુણ્યપ્રકૃતિઓ ગણાવી છે. જે ઉપર કહેવાઈ ગઈ છે. એટલે ફરીથી લખતા નથી. આ ૪૨ સિવાયની બાકીની જે ૮૨ પ્રકૃતિઓ છે તે સર્વે અશુભ હોવાથી પાપકર્મ છે એમ જાણવું. પ્રશ્ન - સમ્યકત્વને (સમ્યક્વમોહનીયકર્મને) અશુભ કેમ કહેવાય ? અને તેને પાપકર્મ કેમ કહેવાય ? ઉત્તર - સમ્યક્ રુચિ સ્વરૂપ જે આત્મપરિણામ છે. તે તો શુભ જ છે. પણ તે આત્મપરિણામ હોવાથી આત્માનો ગુણ છે, કર્મ નથી. માટે તે અહીં અશુભપણે કહેવાતું નથી. પરંતુ પૂર્વકાલમાં જે મિથ્યાત્વ મોહનીયકર્મ બાંધ્યું છે અને તેનો રસઘાત કરીને
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy