________________
૫૩૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિષરૂપે પરિણામ પામવાની યોગ્યતા હોવાથી તથા ગાય નામનું પ્રાણી એવો આશ્રય છે કે જેમાં પીધેલું દૂધ પણ દૂધરૂપે પરિણામ પામે અને સર્પ નામનું પ્રાણી એવો આશ્રય છે કે જેમાં પીધેલું દૂધ વિષરૂપે પરિણામ પામે. આમ પરિણામ પામવાની યોગ્યતા અને આશ્રયભૂત ગાય અને સર્પના સ્વભાવના વશથી જેમ ગાયનું પીધેલું દૂધ એ દૂધ બને છે અને સર્પનું પીધેલું દૂધ એ વિષપણે પરિણામ પામે છે. તેવી જ રીતે આ જીવ વડે ગ્રહણ કરાયેલાં કાર્મણવર્ગણાનાં પુગલો પરિણામસ્વભાવ અને આશ્રયના સ્વભાવથી પુણ્ય અને અપુણ્યરૂપે પરિણામ પામે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે - તે આહારનો એવા પ્રકારનો પરિણામ છે કે જેથી તુલ્ય હોવા છતાં પણ આધાર વિચિત્ર મળવાથી વિચિત્ર ભાવે પરિણામ પામે છે. આશ્રયભૂત (આહારના આધારભૂત) એવી ગાયનો અને આધારભૂત એવા સર્પનો પણ તેવા પ્રકારનો સ્વભાવ છે અર્થાત્ તેવા પ્રકારનું પોતાનું સામર્થ્ય છે કે જેથી તુલ્યરૂપે ગ્રહણ કરાયેલા આહારને પણ તે તે સ્વરૂપે પરિણાવે છે તેવી જ રીતે કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાં પુણ્યઅપુણ્યરૂપે પરિણમન પામવાનો સ્વભાવ અને કર્મ બાંધનારા જીવનું પણ તેવું સામર્થ્ય કે તુલ્ય એવાં પણ પુગલોને પુણ્ય-અપુણ્યરૂપે પરિણમાવી શકે છે. આ વાત સમજવા માટે અગ્નિ અને કાષ્ઠાદિમાં રહેલા અનુક્રમે દાહક અને દાહ્યસ્વભાવનું ઉદાહરણ અહીં જાણવું. આ પ્રમાણે શુભાશુભ એમ બે પ્રકારનું કર્મ બને છે. ll૧૯૪૪)
ગાય અને સર્પ એમ બન્નેના ભિન્ન ભિન્ન શરીરમાં તુલ્ય આહારનું ભિન્ન ભિન્ન પરિણમન સમજાવીને કર્મમાં શુભાશુભતા સમજાવી. હવે એક જ શરીરમાં તુલ્ય આહારનું ભિન્ન ભિન્ન પરિણમન જણાવવા દ્વારા કર્મમાં શુભાશુભતા સમજાવે છે -
जह वेगसरीरम्मि वि सारासारपरिणामयामेइ । अविसिट्ठो वाहारो तह कम्मसुभासुभविभागो ॥१९४५॥ ( यथा वैकशरीरेऽपि सारासारपरिणामतामेति ।
વિશિષ્ટ રૂવાદાસ્તથી વર્મશુમાશુમવિમા II)
ગાથાર્થ - અથવા અવિશિષ્ટ (એટલે કે તુલ્ય) એવો આહાર જેમ એક શરીરમાં પણ સાર-અસારતાને પામે છે તેમ કર્મમાં શુભ અને અશુભનો વિભાગ થાય છે. l/૧૯૪૫ll
વિવેચન - ઉપરની ૧૯૪૪ મી ગાથામાં ગાય અને સર્પનું ભિન્ન-ભિન્ન શરીર લઈને આહારનું ભિન્ન-ભિન્ન પરિણમન જણાવ્યું છે. હવે આ ગાથામાં એક જ શરીર