________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૩
आउयभागो थोवो, नामे गोए समो तओ अहिगो । आवरणमंतराए सरिसो अहिगो य मोहे वि ॥२॥ सव्वुवरि वेयणीए, भागो अहिगो उ कारणं किंतु । सुह-दुक्खकारणत्ता ठिई विसेसेण सेसासु ॥३॥ સાક્ષીભૂત ગાથાઓનો અર્થ -
ગ્રહણ સમયે જ જીવ પોતાના અધ્યવસાયને અનુસાર તે સર્વ કર્મ પુદ્ગલોમાં સર્વ જીવ કરતાં અનંતગુણા રસાવિભાગને ઉત્પન્ન કરે છે. તથા દલિતોની વહેંચણીમાં આયુષ્યકર્મને સૌથી અલ્પ ભાગ આપે છે. તેનાથી નામકર્મ અને ગોત્રકર્મને અધિક ભાગ આપે છે. પણ પરસ્પર સમાન ભાગ આપે છે. તેનાથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયકર્મને અધિક ભાગ આપે છે. પણ પરસ્પર સમાન ભાગ આપે છે. તેના કરતાં મોહનીયને પણ અધિક ભાગ આપે છે. તેમજ સર્વકર્મોથી ઉપર (અધિક) ભાગ વેદનીયકર્મને આપે છે. વેદનીયકર્મને સૌથી અધિક ભાગ આપવાનું કારણ એ છે કે સુખ અને દુઃખનો અનુભવ કરાવવામાં તેનો અધિક ભાગ કારણ છે. બાકીના કર્મોને સ્થિતિ વિશેષ પ્રમાણે દલિક વિભાગ આપે છે. ||૧૯૪all
કર્મોમાં શુભાશુભત્વનું પરિણમન, પ્રકૃતિ-સ્થિતિ-રસબંધાદિનું બાંધવું તથા હીનાધિક કર્મવિભાગની રચના આ સર્વે પણ કાર્યો આ જીવ કર્મ ગ્રહણ કરવાના સમયે જ આહારના દૃષ્ટાન્ત કરે છે. તેથી હવે તે આહારનું દૃષ્ટાન્ત જ સમજાવે છે -
परिणामासयवसओ धेणूए जहा पओ विसमहिस्स । तुल्लो वि तदाहारो तह पुण्णापुण्णपरिणामो ॥१९४४॥ (परिणामाश्रववशतः धेन्वा यथा पयो विषमहेः । તોડપિ તવાદારસ્તથા પુષ્કાપુથપરિણામ: II)
ગાથાર્થ - જેમ ગાય અને સર્પનો આહાર (દુગ્ધાદિ) તુલ્ય હોવા છતાં પણ પરિણામ અને આશ્રયના વશથી ધેનુને તે આહાર દૂધરૂપે અને સર્પને તે આહાર વિષરૂપે પરિણામ પામે છે. તેમ જીવમાં કર્મનો પુણ્ય-અપુણ્ય પરિણામ જાણવો. ૧૯૪૪ll
વિવેચન - જે ગાય અને સર્પ નામના પ્રાણીઓનો દૂધ વગેરે આહાર છે તે તુલ્ય હોય છે. એટલે કે ગાયને પણ દૂધ જ પાવામાં આવે અને સર્પને પણ દૂધ જ પાવામાં આવે તો પણ પરિણામ અને આશ્રયના વશથી (એટલે દુગ્ધાદિ આહારમાં દૂધરૂપે અને