________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૨૯ કરે છે. પરંતુ અમુક જ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે એવું બનતું નથી. જીવ પોતાના સર્વપ્રદેશો દ્વારા જ કર્યગ્રહણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
एगपएसोगाढं सव्वपएसेहिं कम्मुणो जोग्गं । बंधइ जहुत्तहेउं साइयमणाइयं वावि ॥१॥
કર્મને યોગ્ય, એકસરખા સમાન પ્રદેશોમાં રહેલા એટલે કે જે જે આકાશપ્રદેશોમાં આત્મપ્રદેશો રહેલા છે. તે જ આકાશપ્રદેશોમાં રહેલા કર્મપ્રદેશોને જીવ પોતાના સર્વપ્રદેશો દ્વારા યથોક્ત હેતુઓએ કરીને બાંધે છે. તે કર્મ સાદિ પણ છે અને અનાદિ પણ છે.
સામાન્યથી આયુષ્યકર્મ સિવાય બાકીનાં સાતે કર્મો સંસારી સર્વે જીવો અનાદિકાળથી બાંધે છે. મોક્ષે જતાં ક્ષપકશ્રેણીએ ચઢતાં તે તે ગુણસ્થાનકે કર્મના બંધનો અંત કરે છે એટલે આ બંધ અનાદિ-સાત્ત થાય છે. અભવ્ય જીવો અથવા જાતિભવ્ય જીવો ક્ષપકશ્રેણી માંડવાના નથી તેથી તેઓને સાત કર્મનો બંધ અનાદિ-અનંત છે તથા જે જીવો ઉપશમશ્રેણી ઉપર ચડ્યા છે. અગિયારમા ગુણસ્થાનકે ચઢીને નીચે ઉતરે છે તેવા જીવોને નીચે ઉતરતાં દસમા ગુણસ્થાનકે છ કર્મનો સાંપરાયિક બંધ અને નવમાં ગુણઠાણે મોહનીયકર્મનો બંધ શરૂ થાય છે. ત્યારે તે બંધ સાદિ છે. આવા જીવો કાલાન્તરે અવશ્ય ક્ષપકશ્રેણી માંડવાના જ છે તેથી તે બંધ સાત્ત છે. આમ મૂલ સાતકર્મોનો બંધ અનાદિ-અનંત, અનાદિસાન્ત અને સાદિસાત્ત એમ ત્રણ પ્રકારનો હોય છે. જ્યારે આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાતું હોવાથી અને તે પણ માત્ર અન્તર્મુહૂર્ત જ બંધાતું હોવાથી સાદિ-સાત્ત છે. ll૧૯૪૧]
अविसिट्ठपोग्गलघणे लोए, थूलतणुकम्मपविभागो । जुज्जेज गहणकाले, सुभासुभविवेयणं कत्तो ? ॥१९४२॥ (अविशिष्टपुद्गलघने लोके स्थूलतनुकर्मप्रविभागः ।। યુચતે અવાજો માજુમવિવેચન ચુત: ? )
ગાથાર્થ - અવિશિષ્ટ પુદ્ગલોના સમૂહથી ભરેલા એવા આ લોકમાં સ્કૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ તો હજુ સંભવી શકે છે. પરંતુ બંધકાલે શુભ-અશુભનો વિભાગ કેમ ઘટે ? ll૧૯૪૨
વિવેચન - ચૌદ રાજલોક પ્રમાણ આ લોકાકાશ દારિકાદિ આઠ ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓના અનંતાનંત પ્રદેશો વડે પ્રતિપ્રદેશે ભરેલો છે. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ અવિશિષ્ટ એવાં એટલે કે “આ શુભ અને આ અશુભ” એવા પ્રકારના ભેદરહિતપણે