________________
પ૨૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
આ રીતે પુણ્યકર્મ શુભ વર્ણાદિવાળું અને શુભ વિપાકવાળું તથા પાપકર્મ અશુભવÍદિવાળું અને અશુભ વિપાકવાળું છે તથા બને કર્મ નથી બાદર અને નથી અતિશય સૂક્ષ્મ. પરંતુ સૂમવર્ગણાથી નિષ્પન્ન છે માટે સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે, ઈન્દ્રિયથી અગોચર છે. l/૧૯૪all
તે પુણ્ય અને પાપસ્વરૂપ બે પ્રકારના કર્મને ગ્રહણ કરતો આ જીવ કેવું કર્મ ગ્રહણ કરે છે ? અને કેવી રીતે ગ્રહણ કરે છે ? તે જણાવે છે -
गिण्हइ तज्जोगं चिय रेणुं पुरिसो जहा कयब्भंगो । एगक्खेत्तोगाढं, जीवो सव्वप्पएसेहिं ॥१९४१॥ (गृह्णाति तद्योग्यमेव रेणुं पुरुषो यथा कृताभ्यङ्गः ।
ક્ષેત્ર વાર્દિ નીવઃ સર્વપ્રઃ II)
ગાથાર્થ - જેમ તૈલાદિથી મર્દન કરેલો પુરુષ સૂક્ષ્મ રજને ગ્રહણ કરે છે તેમ રાગાદિ ભાવવાળો જીવ કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. એકક્ષેત્રાવગાઢવર્ગણાને પોતાના સર્વ આત્મપ્રદેશોથી આ જીવ ગ્રહણ કરે છે. ll૧૯૪૧/l
- વિવેચન - જેમ તૈલાદિથી કરેલું છે મર્દન (માલીસ) જેણે એવો પુરુષ હવામાં ઉડતી સૂમ રજને ગ્રહણ કરે છે. અર્થાત્ મર્દનાદિ કરેલા પુરુષને જેમ સૂમ રજ ચોંટે છે તેવી જ રીતે રાગ અને દ્વેષાદિ કષાયોથી ક્લિષ્ટ (મલિન) સ્વરૂપવાળો આ જીવ પણ તે પુણ્ય અને પાપાત્મક કર્મને યોગ્ય એવાં કાર્મણવર્ગણામાં રહેલાં સૂક્ષ્મ અને અનંતાનંત પ્રદેશવાળાં પુગલદ્રવ્યોને ગ્રહણ કરે છે. પરંતુ અત્યન્ત સૂક્ષ્મ એવા પરમાણુ આદિને તથા કર્મ બનવાને અયોગ્ય એવાં ઔદારિકાદિ બાદર વર્ગણાનાં પુદ્ગલદ્રવ્યોને આ જીવ કર્મરૂપે ગ્રહણ કરતો નથી.
વળી “વિક્ષેત્રીવમેવ' એક જ ક્ષેત્રમાં એટલે કે જીવ જે ક્ષેત્રમાં રહેલો છે તે જ ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે. પોતાનાથી અવગાઢ થયેલા ક્ષેત્ર કરતાં ભિન્ન ક્ષેત્રમાં રહેલી કાર્મણવર્ગણાના પ્રદેશોને આ જીવ ગ્રહણ કરતો નથી. જીવની સાથે સમાન પ્રદેશોમાં રહેલી એવી જ કાર્મણ વર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે. ક્ષેત્રાન્તરમાં રહેલી વર્ગણાને જીવ ગ્રહણ કરતો નથી.
પોતાની સાથે સમાન ક્ષેત્રમાં રહેલાં, અનંતાનંતપ્રદેશનાં બનેલાં, સૂક્ષ્મપરિણામવાળાં એવાં કાર્મણવર્ગણાનાં પુગલોને પણ આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશો દ્વારા ગ્રહણ