SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા ૫૨૫ मोत्तुण आउयं खलु, दंसणमोहं चरित्तमोहं च । सेसाणं पगईणं, उत्तरविहिसंकमो भज्जो ॥१९३९॥ (मुक्त्वाऽऽयुष्कं खलु दर्शनमोहं चारित्रमोहं च । શેષામાં પ્રવૃતીનામુત્તવથસક્રમો માન્ય ) ગાથાર્થ - આયુષ્યકર્મ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મને છોડીને બાકીની પ્રકૃતિઓમાં ઉત્તરપ્રકૃતિઓનો સંક્રમ ભજનાએ થાય છે. ll૧૯૩૯l વિવેચન - બાંધેલા અને સત્તામાં રહેલા કોઈ એક કર્મને અન્ય કર્મરૂપે રૂપાન્તર કરવું તેને સંક્રમ કહેવાય છે. આવી ક્રિયા આત્માના જે વીર્યવિશેષ (ભાવયોગવિશેષ) વડે થાય છે. તે વીર્યવિશેષને સંક્રમણકરણ કહેવાય છે. અહીં સંક્ષેપથી સંક્રમવિધિ સમજાવાય (૧) જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વગેરે મૂલ આઠ કર્મોનો પરસ્પર સંક્રમ ક્યારેય પણ થતો નથી. જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીયાદિમાં સંક્રમાવાતું નથી. ઉત્તર પ્રકૃતિઓનો જ સંક્રમ થાય છે. તે પણ પોતપોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિઓનો જ પરસ્પર સંક્રમ થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયકર્મનો શ્રુતજ્ઞાનાવરણીયાદિ ચાર જ્ઞાનાવરણીયમાં સંક્રમ થાય છે. કારણ કે તે મૂલકર્મરૂપે અભિન્ન છે પરંતુ ચક્ષુદર્શનાવરણીયાદિમાં મતિજ્ઞાનાવરણીયકર્મનો સંક્રમ થતો નથી. કારણ કે તે મૂલકર્મની અપેક્ષાએ ભિન્ન કર્મ છે. (૨) આયુષ્યકર્મની ચારે ઉત્તરપ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી. મનુષ્યના જીવે દેવાયુષ્ય બાંધ્યું હોય તો તે બંધાયેલા દેવાયુષ્યનો સંક્રમ સત્તામાં રહેલા મનુષ્યાયુષ્યમાં થતો નથી. જો કે મૂલકર્મની અપેક્ષાએ આ બન્ને પ્રકૃતિઓ પરસ્પર અભિન્ન છે. તો પણ ચારે આયુષ્યોનો અરસપરસ સંક્રમ થતો નથી. અહીં મૂલગાથામાં માર્યા આમ એક વચનનો નિર્દેશ કર્યો છે. તો પણ તે જાતિપ્રધાન નિર્દેશ છે. (અર્થાત્ આયુષ્યકર્મની સઘળી જાતિ એવો અર્થ કરવો) તેથી અર્થ બહુવચનમાં જાણવો. અર્થાત્ ચારે આયુષ્યોનો પરસ્પર સંક્રમ થતો નથી. (૩) તથા દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીય કર્મને છોડીને સંક્રમ થાય છે. એટલે કે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ બન્ને કર્મો “મોહનીય” નામના મૂલકર્મથી અભિન્ન છે. તેથી દર્શનમોહનો ચારિત્રમોહમાં અને ચારિત્રમોહનો દર્શનમોહમાં
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy