SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૨ નવમા ગણધર - અચલભ્રાતા ગણધરવાદ આ પ્રમાણે પ્રશ્રકાર (અલભ્રાત) વડે પૂછાયે છતે ભગવાન ઉત્તર કહે છે - न सुहाईणं हेऊ कम्मं चिय, किन्तु ताण जीवो वि । होइ समवाइकारणमियरं कम्मं ति को दोसो ? ॥१९२९॥ (न सुखादीनां हेतुः कर्मैव किन्तु तेषां जीवोऽपि । भवति समवायिकारणमितरत् कर्मेति को दोषः ? ॥) । ગાથાર્થ - સુખ-દુ:ખાદિ ભાવોનું કર્મ એ જ કેવલ કારણ નથી. પરંતુ તેનું કારણ જીવ પણ છે. તથા જીવ એ સમવાધિકારણ છે (અને તે અમૂર્ત છે) તથા કર્મ એ તો અસમાયિકારણ છે. (તેથી મૂર્તિ છે) માટે આમ હોવામાં કોઈ દોષ નથી. //૧૯૨૯ll - વિવેચન - દેહાદિનું કારણ પણ કર્મ છે અને સુખ-દુઃખાદિનું કારણ પણ કર્મ છે. પરંતુ બન્ને જગ્યાએ કર્મ એ અસમવાય કારણ છે. પરંતુ ઉપાદાન કારણ (સમવાયિકારણ) નથી. જે ઉપાદાન કારણ (અર્થાત્ સમાયિકારણો હોય છે તે જ કાર્યને અનુરૂપ કારણ હોય છે. દેહાદિનું ઉપાદાન કારણ ઔદારિકવર્ગણાનાં પુગલો છે અને સુખ-દુઃખાદિનું ઉપાદાનકારણ આત્મા છે. દેહાદિ કાર્ય મૂર્તિ છે તેથી તેનું ઉપાદાનકારણ (સમાયિકારણ) ઔદારિક વર્ગણાનાં પુદ્ગલો પણ મૂર્તિ જ છે અને સુખ-દુઃખાદિ ભાવો અમૂર્તિ છે. તેથી તેનું ઉપાદાનકારણ (સમાયિકારણ) આત્મા પણ અમૂર્ત જ છે. આમ ઉપાદાનકરણમાં એટલે કે સામાયિકારણમાં જ અનુરૂપ કાર્ય-કારણભાવ હોય છે. કારણ કે જે ઉપાદાનકારણભૂત (સમવાયિકારણભૂત) દ્રવ્ય હોય છે. તે જ દ્રવ્ય કાર્યરૂપે પરિણામ પામે છે. માટે ત્યાં જ અનુરૂપ કાર્ય-કારણભાવ હોય છે. સુખ-દુઃખાદિ ભાવો જરૂરી અમૂર્ત છે. પરંતુ તેનું કારણ એકલું કર્મ નથી. ખરેખર ઉપાદાનકારણ (સમવાયિકારણ) તો આત્મા જ છે અને તે અમૂર્ત જ છે. કર્મ તો અસમાયિકારણ છે. (નૈયાયિકની પરિભાષા પ્રમાણે અસમાયિકારણ કહેલ છે) જૈનદર્શનની પરિભાષા પ્રમાણે કર્મ એ નિમિત્તકારણ છે અને નિમિત્તકારણ કાર્યને અનુરૂપ જ હોવું જોઈએ એવો નિયમ નથી. કોઈક માણસ વડે છોડાયેલી ગોળી અથવા પત્થર વાગે તો તેનાથી જીવને પીડા થાય છે. અહીં પીડાત્મક કાર્ય ઉત્પન્ન થવામાં આત્મા ઉપાદાનકારણ (સમાયિકારણ) છે અને ગોળી તથા પત્થર નિમિત્તકારણ છે. ત્યાં વેદનાપીડા-દુઃખ એ અમૂર્ત હોવા છતાં ગોળી અને પત્થર જે નિમિત્તકારણ થાય છે તે મૂર્તિ હોઈ શકે છે. તેમ સુખ-દુઃખાદિ ભાવો અમૂર્ત છે. તેમાં ઉપાદાનકારણ રૂપે જે આત્મા છે તે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy