________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૧
(૩) અથવા ક્ર્મ મૂર્તમ્, વેહાનેસ્તાર્યસ્ય મૂર્તત્વાત્, પરમાણુવત્ = જેમ અનેક પરમાણુઓનો બનેલો ઘટ એ મૂર્ત છે તેથી કાર્યભૂત એવા ઘટના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત છે. તેવી જ રીતે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ કર્મના કાર્યભૂત એવા દેહાદિ પદાર્થો મૂર્ત હોવાથી તેના કારણભૂત એવું કર્મ પણ મૂર્ત છે. જેનું કાર્ય મૂર્ત હોય છે. તેનું કારણ પણ મૂર્ત હોય છે. જેમ પરમાણુઓનું કાર્ય ઘટ એ મૂર્ત છે તેથી પરમાણુઓ પણ મૂર્ત છે તેવી જ રીતે કર્મના કાર્યભૂત શરીરાદિ મૂર્ત છે તેથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે.
આ પ્રમાણે અનેક અનુમાનોથી કર્મ એ મૂર્તપદાર્થ છે, પુદ્ગલદ્રવ્ય છે, કાર્યણવર્ગણા છે એમ સિદ્ધ કર્યું. આવી વાત કહ્યે છતે અચલભ્રાત નીચે મુજબ પ્રશ્ન કરે છે. ૧૯૨૭॥ तो किं देहाईणं मुत्तत्तणओ तयं हवइ मुत्तं ।
અન્ન મુદ્દ-દુવાડુંળ, રામાવાવવું તિ? ૧૨૮॥
( ततः किं देहादीनां मूर्तत्वतस्तद् भवति मूर्तम् ।
अथ सुखदुःखादीनां कारणभावादरूपमिति ? ॥ )
ગાથાર્થ - કર્મના કાર્યસ્વરૂપ એવાં દેહાદિ મૂર્ત હોવાથી શું તે કર્મ મૂર્ત છે ? કે જીવનાં સુખ-દુઃખાદિનું કારણ (કર્મ) હોવાથી તે કર્મ અમૂર્ત (અરૂપી) છે ? ૧૯૨૮
વિવેચન - કર્મ શું મૂર્ત છે ? કે અમૂર્ત છે ? આવો પ્રશ્ન અચલભ્રાતજી પરમાત્માને કરે છે. કારણ કે કર્મથી પ્રાપ્ત થનારા ભાવો મૂર્ત પણ દેખાય છે અને અમૂર્ત પણ દેખાય છે. બન્ને પ્રકારના ભાવોનું કારણ કર્મ જણાય છે. તેથી કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ. આવા પ્રકારનો આપનો કહેલો ન્યાય છે. તેથી આ ન્યાયને અનુસારે શંકા થાય છે કે શું કર્મ એ મૂર્તપદાર્થ છે ? કે કર્મ એ અમૂર્ત પદાર્થ છે ?
સંસારી જીવોને પ્રાપ્ત થતાં શરીર, ઈન્દ્રિયો વગેરે ભાવો કર્મોનું કાર્ય (ફળ) છે અને તે દેહાદિકાર્ય મૂર્ત દેખાતાં હોવાથી તેના કારણભૂત એવું કર્મ પણ મૂર્ત હોવું જોઈએ તથા સુખ-દુઃખ-ક્રોધ-માન-માયા-લોભ વગેરે ભાવો જીવના પરિણામરૂપ છે. જીવના અધ્યવસાયાત્મક છે તેથી અમૂર્ત છે અને આવા પરિણામો પણ પૂર્વબદ્ધ વેદનીય અને મોહનીયાદિ કર્મોના ઉદયથી આવે છે. એટલે કર્મોના કાર્યભૂત (ફલભૂત) છે. આ રીતે કર્મોના ફળભૂત સુખ-દુઃખાદિ અમૂર્ત દેખાતા હોવાથી તેના કારણરૂપે કર્મ અમૂર્ત હોવું જોઈએ. આ પ્રમાણે કર્મોનાં કાર્યો શરીરાદિ મૂર્ત અને સુખ-દુઃખાદિ અમૂર્ત એમ બન્ને પ્રકારનાં કાર્યો દેખાતાં હોવાથી તેના કારણભૂત એવું કર્મ શું મૂર્ત માનવું કે અમૂર્ત માનવું ? હે ભગવાન્ ! મારા આ પ્રશ્નનો આપશ્રી ઉત્તર જણાવો. ૧૯૨૮॥