________________
૫૧૦ નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ ગાથાર્થ - આ કારણથી જ તે કર્મ મૂર્તિ છે તથા કુંભની જેમ મૂર્તિ એવા દેહાદિને બલાધાન કરનાર હોવાથી પણ તે કર્મ મૂર્તિ છે અથવા દેહાદિ કાર્યો મૂર્ત હોવાથી ઈત્યાદિ કારણોથી પણ તે કર્મ મૂર્તિ છે. આમ કહ્યું છતે ફરીથી અલભ્રાતાજી પ્રશ્ન કરે છે. /૧૯૨૭ll
વિવેચન - ઉપરની ગાથામાં છેલ્લે જે કથન કર્યું એનાથી જ કર્મ મૂર્તિ છે એમ સમજવું. એટલે કે અનાદિ-સાધનસામગ્રી તુલ્ય હોવા છતાં પણ એકને પરમ આહ્વાદ અને બીજાને રોગની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે ઔષધાદિ તુલ્ય હોવા છતાં એકને રોગનો નાશ અને બીજાને રોગનો અનાશ થાય છે ઈત્યાદિ જે ફલભેદ જણાય છે તે અવશ્ય સકારણ છે અને તેનું બાહ્ય કારણ અનાદિ અને ઔષધાદિ જેમ મૂર્ત છે તેમ આન્તરિક કારણ કર્મ પણ અવશ્ય મૂર્તિ છે તથા નીચેનાં અનુમાનોથી પણ તે કર્મ અવશ્ય મૂર્તિ છે.
(૧) વર્ષ મૂર્તિ, મૂર્તી ર્વત્નાથાનરિત્રી, કુમવત્ = કર્મ એ અવશ્ય મૂર્તિ છે. મૂર્તિ એવા દેહાદિને બલાધાન કરનાર હોવાથી, ઘટની જેમ. જેમ પાણી વગેરે પદાર્થો લાવવા-લઈ જવા હોય તો એકલા શરીરમાત્રથી કંઈ લાવવા-લઈ જવાનું કામ થતું નથી. પરંતુ જો ઘટ હોય તો તે કાર્ય કરવામાં શરીરની જેમ ઘટ એ પણ નિમિત્ત કારણ છે તેથી જ ઘટાદિ પદાર્થો પાણી આદિ પદાર્થો લાવવા-લઈ જવામાં શરીરની અંદર બલવૃદ્ધિ કરનાર છે. ઘટ આદિ સાધનભૂત પદાર્થો દેખીને પાણી આદિ પદાર્થોનો લાવવા-લઈ જવાનો વ્યવહાર કરવા માટે શરીરમાં શક્તિવિશેષ પ્રગટ થાય છે. કામ કરવાનો ઉત્સાહ વધે છે, તે ઘટ જેમ મૂર્તિ છે અને મૂર્તિ એવા દેહાદિમાં બલાધાન કરનાર છે એ જ પ્રમાણે કર્મ પણ શરીરમાં બલવૃદ્ધિ તથા કાર્ય કરવાનું નિમિત્તકારણ છે. તેથી ઘટની જેમ કર્મ એ મૂર્તવસ્તુ છે.
(२) कर्म मूर्तम्, मूर्तेन स्रक्-चन्दनाङ्गनादिना तस्योपचयलक्षणस्य बलस्याधीयमाનર્વત્ કુમવત્ = જેમ ઘટ કાચો હોય તો નિર્બલ હોય છે. તેને ભટ્ટાની અગ્નિથી પકવવામાં આવે ત્યારે તે ઘટમાં બલવૃદ્ધિ થાય છે. અથવા પકવેલા ઘટને તૈલાદિ મૂર્તિ પદાર્થો વડે વિલેપન કરવા દ્વારા ઘટમાં બલવૃદ્ધિ કરાય છે. એટલે કે મૂર્ત વસ્તુઓ વડે ઘટમાં બેલાધાનતા કરાય છે અને બલાધાનતા થાય છે, તેથી તે ઘટ મૂર્તિ છે. તેની જેમ પુષ્પમાલા-ચંદન અને અંગના આદિ મૂર્તિ પદાર્થો વડે રાગાદિ થવા દ્વારા કર્મ વધારે બલવાળું (ચીકણું) બંધાય છે. તેથી પણ ઘટની જેમ કર્મ એ મૂર્તિ પદાર્થ છે. તૈલાદિ વડે બલવૃદ્ધિ પામતો ઘટ જેમ મૂર્તિ છે. તેમ પુષ્પમાલાદિ વડે બલવૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્ત છે.