________________
૫૦૮
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(અન્ન અને જલાદિ) જેમ પ્રત્યક્ષપણે સુખાદિનું કારણ છે તેમ કર્મ પણ સુખાદિનું કારણ બને છે. ૧૯૨પા
વિવેચન - મૂર્તપણે દેખાતી ઘટ-પટ આદિ વસ્તુઓ નીલ-પીતાદિ વર્ણવાળી છે. માટે મૂર્ત છે અને તે જ વસ્તુઓ તેના પોતાના જ વિષયનો પ્રતિભાસ કરતા એવા આત્મામાં ઉત્પન્ન થતું અમૂર્ત એવું જ્ઞાનાત્મક જે કાર્ય છે, તેનું કારણ પણ બને છે. વિષયને જોઈને જ આત્મામાં તે વિષયનું મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં મૂર્તિ એવી વસ્તુઓ કારણ બને છે અને અમૂર્ત એવું જ્ઞાન કાર્ય બને છે. તેવી જ રીતે આત્મામાં ઉત્પન્ન થતા સુખદુઃખાત્મક અનુભવો અમૂર્ત છે. તેમાં મૂર્તિ એવું પુણ્ય-પાપાત્મક કર્મ કારણ બને છે. મૂર્ત વસ્તુ પણ અમૂર્તિનું કારણ બને છે. જેમ અનાદિ, જલાદિ, ઔષધાદિ મૂર્તિ છે. તેનાથી જીવમાં સુધાછેદ, તૃષાછેદ અને રોગછેદ આદિ રૂપ અમૂર્ત એવાં સુખાદિ થાય છે. આ વાત પ્રત્યક્ષપણે દેખાય જ છે.
આદિ શબ્દથી ફુલની માળા, ચંદન, અંગના વગેરે મૂર્ત પદાર્થો સુખનું કારણ અને સર્પ-વિષ અને કાંટા આદિ મૂર્તિપદાર્થો દુઃખનું કારણ બને છે. આ ઉદાહરણોમાં જેમ મૂર્તિ વસ્તુઓ અમૂર્તિ એવા સુખ-દુઃખાદિનું કારણ બને છે તેમ પુણ્ય-પાપાત્મક કર્મ પણ મૂર્ત હોવા છતાં અમૂર્ત એવા સુખ-દુઃખાદિનું કારણ બને છે. આ વાત નિર્વિવાદરૂપે સિદ્ધ થાય છે. હવે અહીં એક બીજો પ્રશ્ન થાય છે. તે પ્રશ્ન હવે પછીની ગાથામાં જણાવાય છે. I/૧૯૨૫ll
होउ तयं चिय किं कम्मणा, न जं तुल्लसाहणाणं पि । फलभेओ सोऽवस्सं, सकारणो कारणं कम्मं ॥१९२६॥ (भवतु तदेव किं कर्मणा, न यत् तुल्यसाधनानामपि । फलभेदः सोऽवश्यं, सकारण: कारणं कर्म ॥)
ગાથાર્થ - તો તે મૂર્તિ એવાં અનાદિ જ સુખ-દુઃખના કારણ હો. કર્મને કલ્પવાની શી જરૂર ? આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે તુલ્યસાધનવાળામાં પણ જે ફળભેદ છે તે અવશ્ય સકારણ છે. તેનું જ કારણ છે તે જ કર્મ છે. ll૧૯૨૬/
વિવેચન - આ વિષયમાં અવસર મળવાથી અચલભ્રાતાજી પરમાત્માને આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે મૂર્તિ વસ્તુ પણ અમૂર્ત એવા જ્ઞાનનું અને અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ બને છે. આ વાત તમે જે ઉપર સમજાવી તે અવશ્ય સમજાય છે. તેનાથી એ નક્કી થાય