________________
૪૮૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
જીવનું પોતાની વાણી સાંભળવાથી, સંશય છેદાવાથી નજીકના જ કાલમાં કલ્યાણ થવાનું છે એમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી ઉત્તમ જીવ છે આમ જાણીને વ્યવહારમાત્રથી આવકાર આપે છે. ll૧૯૦૫-૧૯૦૬//
અલભ્રાતાને બોલાવીને શું કહ્યું? તે કહે છે - किं मण्णे पुण्ण-पावं, अत्थि नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९०७॥ (વિ મી પુથ-પાપં, મસ્તિ-નાસ્તીતિ સંશયસ્તવ | વેપાનીઝાર્થ, ૨ નાનાસિ તેષામયમર્થઃ )
ગાથાર્થ – હે અલભ્રાત ! પુણ્ય અને પાપ છે કે નહીં ? આવો તમને સંશય છે. અર્થાત્ આવું તમે મનમાં વિચારો છો વેદના પદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તે પદોનો અર્થ આ પ્રમાણે છે. ll૧૯૦૭//
વિવેચન - હે આયુષ્યમાન્ અચલભ્રાત ! તમે મનમાં આવા આવા વિચારો કરો છો. આ સંસારમાં શું પુણ્ય અને પાપ છે કે નહીં ? સાંસારિક સુખ-સમૃદ્ધિ આપે તે પુણ્ય અને સાંસારિક દુઃખ આપે તે પાપ, આ બન્ને તત્ત્વો માનવાં કે ન માનવાં ? આવો સંશય તમારા મનમાં પ્રવર્તે છે. વેદોનાં પરસ્પર ભિન્ન ભિન્ન અર્થવાળાં પદો સાંભળવાના કારણે, પરસ્પર વિરુદ્ધ એવાં દર્શનોની શ્રુતિઓને જાણવાના કારણે તમને આ સંશય થયેલો છે. પરંતુ તમારો આ સંશય ઉચિત નથી. કારણ કે તે વેદનાં પદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથામાં કહેવામાં આવશે.
તે વેદનાં પદો આ પ્રમાણે છે. “પુપ વેન્દ્ર વિનં સર્વ, યક્ ભૂત ભવ્ય, ડતામૃતવચ્ચેશાનો યુનેન તિરોતિ' ઈત્યાદિ. આ વેદના પદો તથા તેનો અર્થ બીજા ગણધરવાદ પ્રસંગે જેવો કહેવાયો છે તેવો અર્થ અહીં સમજી લેવો. જગતમાં આ જે કંઈ દેખાય છે, તથા જે ભૂતકાળમાં થયું અને ભાવિમાં થશે તે સર્વે પુરુષમાત્ર જ છે. બીજું કંઈ જ નથી. (અર્થાત્ પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ નથી.) આવા પ્રકારનાં વેદનાં પદો સાંભળવાથી તમને પુણ્ય-પાપ છે કે નહી ? આવા પ્રકારનો સંદેહ થયેલો છે. ll૧૯૦ણા
मण्णसि पुण्णं पावं साहारणमहव दो वि भिन्नाइं । होज न वा कम्मं चिय सभावओ भवपपंचोऽयं ॥१९०८॥