________________
I અચલણાતા નામના નવમાં ગણધર ||
હવે અલભ્રાતા નામના નવમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं, अयलभाया आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१९०५॥ आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९०६॥ (तान् प्रव्रजितान् श्रुत्वाऽचलभ्राताऽऽगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥ आभाषितश्च जिनेन, जाति-जरा-मरण-विप्रमुक्तेन । નાના ર ગોત્રે ૨, સર્વન સર્વર્શિના )
ગાથાર્થ - તે આઠે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “અચલભ્રાતા” નામના નવમા પંડિતજી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને તેમની સેવા કરું, I/૧૯૦૫ll
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી મહાવીર પ્રભુ વડે “અચલભ્રાતા” એવા નામપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. (તમે ભલે આવ્યા. એમ વ્યવહારથી આવકાર્યા.) l/૧૯૦૬/l
વિવેચન - અલભ્રાતા નામના નવમાં પંડિતજી પોતાના આઠ વડીલોને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયેલા સાંભળીને આશ્ચર્ય પામ્યા. ખરેખર આ સાચા જ સર્વજ્ઞ છે, વીતરાગ છે, પ્રભુ છે. હું પણ જલ્દી જલ્દી જાઉં. મારા મનનો સંદેહ પૂછું. નિઃસંદેહ થાઉં. વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. આવા વિચારો મનમાં કરતા કરતા જ્યાં ભગવાન બિરાજે છે તે ભૂમિ તરફ જવા માટે પોતાના શિષ્ય પરિવાર સાથે નીકળ્યા. જ્યારે પ્રભુજીની નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ “હે અચલભ્રાત ! ઈત્યાદિ તેમનું નામ લેવા પૂર્વક તથા તેમના ગોત્રનું ઉચ્ચારણ કરવાપૂર્વક મધુર વાણીથી તેમને બોલાવ્યા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા એમ કોમલ આમંત્રણ પૂર્વક આવકાર્યા. કારણ કે આ