SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ આઠમા ગણધર - અકંપિત ગણધરવાદ सच्चं चेदमकंपिय ! मह वयणाओऽवसेसवयणं व । सव्वण्णुत्तणओ वा अणुमयसव्वण्णुवयणं व ॥१९०१॥ ( सत्यं चेदमकम्पित ! मम वचनादवशेषवचनमिव । સર્વજ્ઞત્વતો વાડનુમતસર્વ વનમિવ ) ગાથાર્થ - “નારકી છે” આ વચન હે અકંપિત ! સત્ય છે. કારણ કે મારું વચન હોવાથી, શેષ વચનની જેમ, અથવા તમારા માનેલા સર્વજ્ઞના વચનની જેમ આ પણ સર્વજ્ઞ વચન હોવાથી સત્ય છે. ll૧૯૦૧/l વિવેચન - અથવા હે અકંપિત ! “નારકી છે” આ વચન સંપૂર્ણ સત્ય છે. મારું વચન હોવાથી (આ હેતુ છે). તમારા સંશય આદિના વિષયવાળું મારું વચન તમે જેમ સ્વીકાર્યું છે તેમ આ પણ મારું વચન હોવાથી તમે માની લો. જેમ તમે કહ્યા વિના જ મેં તમારા સંશયાદિ સર્વે કહ્યા છે તે સર્વજ્ઞ હોય તો જ કહી શકાય, અન્યથા કહી શકાતા નથી. તેથી હું વાસ્તવિક સર્વજ્ઞ છું. માટે મારા કથનથી પણ “નારકી છે” આમ તમે સ્વીકાર કરો. અથવા તમારાં માનેલાં મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોને તથા જૈમિની આદિ દર્શનકારોનાં શાસ્ત્રોને “આ સર્વજ્ઞનાં વચનો છે” આમ સમજીને તમે સ્વીકારો છો. તેમ મારું આ વચન એ પણ સર્વજ્ઞનું વચન છે આમ સમજીને પણ સ્વીકારવું જોઈએ. ll૧૯૦૧// વળી મારું વચન તમારે સ્વીકારવું જોઈએ. भय-राग-दोस-मोहाभावाओ सच्चमणइवाइं च । सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१९०२॥ किह सव्वण्णुत्ति मई, पच्चक्खं सव्वसंसयच्छेया । મર્ય-રા-તોસહિયો, ત માવો સોમ ! ૨૬૦રૂ. (મય-રા--મોહમાવત્ સત્યનિતિપતિ ચ | सत्यमेव मे वचनं, ज्ञायकमध्यस्थवचनमिव ॥ कथं सर्वज्ञ इति मतिः, प्रत्यक्षं सर्वसंशयच्छेदात् । મય-રાગ-દ્વેષરહિત, તમિાવત્ સૌમ્ય! ) ગાથાર્થ - મારાં સર્વે પણ વચનો સત્ય છે અને અનતિપાતિ (દોષ વિનાનાં) છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy