SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ આઠમા ગણધર - અકંપિત ગણધરવાદ સાક્ષાત્ જાણી શકશે જ. તેથી અક્ષ શબ્દનો અર્થ ઈન્દ્રિય કરીએ અને “નિયાનાં પ્રત્યક્ષમતિ = દ્રિયપ્રત્યક્ષ' આવો સમાસ કરીએ તો ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પણ પરમાર્થથી પ્રત્યક્ષ કેમ ન કહેવાય ? તેનો ઉત્તર કહે છે - मुत्ताइभावओ नोवलद्धिमंतींदियाई कुंभो व्व । उवलंभद्दाराणि ताई जीवो तदुवलद्धा ॥१८९३॥ (मूर्तादिभावतो नोपलब्धिमन्तीन्द्रियाणि कुम्भ इव । उपलम्भद्वाराणि तानि जीवस्तदुपलब्धा ॥) ગાથાર્થ - ઈન્દ્રિયો મૂર્તાદિ ભાવવાળી હોવાથી ઘટ-પટની જેમ જ્ઞાન કરનારી નથી. પરંતુ જીવને જ્ઞાન કરવામાં દ્વારભૂત છે. જીવ જ વસ્તુને જાણનારો છે. ll૧૮૯૩ll વિવેચન - ક્રિયાળ, ર૩પત્નશ્ચિત્ત - પુર્નિકુતિરૂપવૅન મૂર્તત્વીત્ કુર્મવેત્ = ઈન્દ્રિયો પોતે જ્ઞાન કરનારી નથી. કારણ કે પુદ્ગલસમૂહની બનેલી હોવાથી, મૂર્ત હોવાના કારણે, ઘટની જેમ. આ એક અનુમાન થયું. જેમ ઘટ, પટ વગેરે પદાર્થો પુદ્ગલોના સમૂહાત્મક છે. તેથી મૂર્તિ છે (રૂપી છે) અને જે વસ્તુ મૂર્ત (રૂપી) હોય છે તે જ્ઞાન કરનાર હોતી નથી. તેની જેમ ઈન્દ્રિયો પણ શરીરસંબંધી પુદ્ગલોની જ બનેલી છે, તેથી મૂર્તિ છે. માટે જ્ઞાન કરનારી નથી. આ એક અનુમાન સમજાવ્યું. ક્રિયાળ, ન ૩પશ્ચિમત્તિ, તત્વત્ યવત્ મૂલ ગાથામાં “મુત્તારૂમાવો'' આ પાઠમાં લખેલા ગાદ્રિ શબ્દથી અચેતનત્વ હેતુ પણ સમજી લેવો. આ બીજું અનુમાન જાણવું. ઈન્દ્રિયો જ્ઞાન કરનારી નથી. કારણ કે અચેતન છે, જેમકે કુંભ. જે જે અચેતન પદાર્થો છે. તે તે પદાર્થો જ્ઞાન કરનાર બનતા નથી. જેમકે ઘટ-પટ, તેની જેમ ઈન્દ્રિયો પણ અચેતન હોવાથી જ્ઞાન કરનારી નથી. પ્રશ્ન - જો ઈન્દ્રિયો જ્ઞાન કરનારી ન હોય તો ઈન્દ્રિયો હોય છે તો જ જ્ઞાન થાય છે. ઈન્દ્રિયો વિના જ્ઞાન થતું નથી. આમ કેમ ? ઉત્તર - ઈન્દ્રિયો એ જ્ઞાનપ્રાપ્તિનું દ્વાર છે. જ્ઞાન તો અંદર બેઠેલા જીવને થાય છે. આ ઈન્દ્રિયો તો બારીની તુલ્ય છે. જેમ બારી પોતે વસ્તુને જાણકારી નથી. પરંતુ બારી દ્વારા અંદર બેઠેલો દેવદત્ત-ચૈત્ર-મંત્ર આદિ મનુષ્ય વસ્તુને જાણનારો છે. તેમ ઈન્દ્રિયો પોતે વસ્તુને જાણનારી નથી. પરંતુ તેના દ્વારા અંદર રહેલો જીવ જ્ઞાન કરનાર છે. તેથી ઈન્દ્રિયો તો બારી અને દ્વાર તુલ્ય છે. જીવ જ વસ્તુને જાણનારો છે. ll૧૮૯૩
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy