SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા ગણધર - અકંપિત બીજી રીતે તત્ત્વ સમજાવીને ઉત્તર આપતાં કહે છે કે अहवा जमिंदियाणं पच्चक्खं, किं तदेव पच्चक्खं ? । उवयारमेत्तओ तं, पच्चक्खमणिंदियं तत्थं ॥ १८९२ ॥ ( अथवा यदिन्द्रियाणां प्रत्यक्षं किं तदेव प्रत्यक्षम् ? । उपचारमात्रतस्तत्, प्रत्यक्षमनिन्द्रियं तथ्यम् ॥ ) ગણધરવાદ ૪૭૩ ગાથાર્થ - અથવા ઈન્દ્રિયોને જે પ્રત્યક્ષ હોય તે જ શું પ્રત્યક્ષ કહેવાય ? ખરેખર તો તે ઉપચારમાત્રથી પ્રત્યક્ષ છે. પરમાર્થથી તો સાચું પ્રત્યક્ષ જ્ઞાન અતીન્દ્રિય જે છે તે છે. ૧૮૯૨૫ વિવેચન - હે અકંપિત ! શું આ પાંચ ઈન્દ્રિયોથી જે જણાય તેને જ પ્રત્યક્ષ તમારા વડે મનાય છે ? મારા જે કૈવલજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે તેને પ્રત્યક્ષ તરીકે નથી સ્વીકારાતું ? ખરેખર આ જ મોટી વિપરીત બુદ્ધિ છે. કારણ કે ઈન્દ્રિયો દ્વારા જે પ્રત્યક્ષ જણાય છે તેને તો ખરેખર ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ તરીકે વ્યવહારાય છે. પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. અનુમાન પ્રમાણમાં બાહ્ય એવા ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ વસ્તુઓ જેમ જણાય છે તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં બાહ્યલિંગાદિ કારણ નથી. તેથી જાણે પ્રત્યક્ષ હોય શું ? એમ સમજીને પ્રત્યક્ષ તરીકે તેમાં ઉપચાર કરાય છે. બાહ્ય ધૂમાદિ જેવાં લિંગ-કારણ નથી એટલે જાણે સાક્ષાત્ જણાય છે. જાણે પ્રત્યક્ષ દેખાય છે. આમ સમજીને ઉપચારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. પરમાર્થથી તો આ ઈન્દ્રિયજન્યજ્ઞાન પરોક્ષ જ છે. કારણ કે અક્ષ એટલે જીવ. જીવને સાક્ષાત્ જે જણાય તે પરમાર્થથી પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાનો પરમાર્થથી પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં આ જીવ અનુમાનની જેમ વસ્તુને પોતે સાક્ષાત્ જાણતો નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા જાણે છે. તેમાં ઈન્દ્રિયો જ મોટું કારણ છે. તેથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પરોક્ષ જ છે. અતીન્દ્રિય જ્ઞાન જ સાચી રીતે પ્રત્યક્ષ આમ સમજવું જોઈએ. કારણ કે અતીન્દ્રિય જ્ઞાન-કાલે જીવ વડે જ ઈન્દ્રિયોની સહાય વિના વસ્તુ સાક્ષાત્ જણાય છે. માટે પરમાર્થથી તો તે અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ છે. ૧૮૯૨ અહીં કદાચ આવી શંકા તમે કરો કે “ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં” જો કે જીવ પોતે વસ્તુને સાક્ષાત્ જાણતો નથી. ઈન્દ્રિયો દ્વારા જાણે છે. પરંતુ ઈન્દ્રિયો તો વસ્તુને
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy