________________
| || અર્થાપિત નામના આઠમા ગણધર || હવે અકંપિત નામના આઠમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं, अकंपिओ आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८८५॥ (तान् प्रव्रजितान् श्रुत्वा ऽकम्पित आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥
ગાથાર્થ - તે સાતે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “અકંપિત” નામના આઠમા પંડિત બ્રાહ્મણ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. /૧૮૮૫ll
| વિવેચન - અકંપિત નામના આઠમા પંડિત બ્રાહ્મણ પોતાના સાત વડીલોને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે પરાજિત થયેલા અને દીક્ષિત થયેલા સાંભળીને આશ્ચર્ય પામ્યા. “ખરેખર આ સાચા જ વીતરાગપ્રભુ છે” એવો મનમાં પાકો નિર્ણય થયો અને મનમાં વિચાર્યું કે હું પણ જલ્દી જલ્દી જાઉં, પ્રભુને વંદન કરું અને પ્રભુને વંદન કરીને તેઓની સેવા કરું. ll૧૮૮૫ll.
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८८६॥ (आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રી મહાવીર પ્રભુ વડે “અકંપિત” એવા નામપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવાયા. (તમે ભલે આવ્યા આવો વ્યવહારથી આવકાર આપ્યો.) ll૧૮૮૬/
વિવેચન - પોતાના શિષ્ય-પરિવાર સાથે અકંપિત જ્યારે પ્રભુની નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા ભગવાને “હે અકંપિત પંડિત! ઈત્યાદિ નામ લેવાપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા. એમ કોમલ આમંત્રણ આપીને વ્યવહારથી આવકાર્યા. કારણ કે નજીકના જ કાલમાં પોતાની વાણી સાંભળવાથી આ જીવનું કલ્યાણ નિયમા થવાનું જ છે. એમ