________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.467
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૭ તથા મંત્રજાપ આદિ દ્વારા ઈન્દ્રાદિ દેવોનું જે આહાન કરવામાં આવે છે તે દેવો હોય તો જ સંભવી શકે છે. અન્યથા = એટલે કે જો દેવો ન હોય તો ઈન્દ્રાદિ દેવોનું આ આહ્વાન પણ વ્યર્થ બને છે. મન્નવાચી પદો દ્વારા દેવોનું આહ્વાન આ રીતે કરવામાં આવે છે. “ફન્દ્ર ! માચ્છે છે પૈથાતથ ષિવૃષUT !” “હ ઇન્દ્રમહારાજા !, હે મેષવૃષણ દેવ ! તમે અમારા આ મેધાતિથ યજ્ઞમાં પધારો પધારો” આવા પ્રકારનાં વેદવાક્યો અને શ્રતિવાક્યો દ્વારા ઈન્દ્રાદિ દેવોનું જે આહાન (પધારવાનું આમંત્રણ) કરવામાં આવે છે તે જો દેવો ન હોય તો વ્યર્થ થાય છે. તેથી ઉપરોક્ત યુક્તિઓથી અને વેદવાક્યો તથા શ્રુતિવાક્યોથી “ન્તિ લેવા:"= દેવો છે આમ નક્કી થાય છે. મૌર્યપંડિતજીએ ઉપરોક્ત દલીલો અને વેદપાઠોના સાચા અર્થથી દેવોનું અસ્તિત્વ સ્વીકાર્યું. આ રીતે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો સંશય છેદાયો. ૧૮૮૩
સંશય છેદયા પછી મૌર્યપંડિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जरामरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, अद्भुढेहिं सह खंडियसएहिं ॥१८८४॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । સ: શ્રમUT: પ્રવૃનતોડઈચતુર્થ સદ શતૈ: I)
ગાથાર્થ – જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો સંશય છેદાયે છતે તે શ્રમણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. /૧૮૮૪ll
| વિવેચન - ચોવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો “દેવો છે કે દેવો નથી” આવા વિષયવાળો સંશય અનેક પ્રકારની યુક્તિઓ વડે અને વેદપાઠો તથા શ્રુતિપાઠો વડે છેદાયો. સંશય છેદાયે છતે મૌર્યપંડિતજીને પરમાત્મા પ્રત્યે ઘણો જ પૂજ્યભાવ પ્રગટ્યો અને ત્યાંને ત્યાં જ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તેઓએ દીક્ષા સ્વીકારી. જ્યારે મૌર્યપંડિતજીએ દીક્ષા લીધી ત્યારે તેઓની “મૌર્ય” નામના સાતમા ગણધર તરીકેની ઘોષણા કરાઈ. ll૧૮૮૪
| સાતમા ગણધર શ્રી મૌર્યજીનો વાદ સમાપ્ત થયો. |