________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.466
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય जम-सोम-सूर-सुरगुरु-सारजाईणि जयइ जण्णेहिं । मंतावाहणमेव य इंदाईणं विहा सव्वं ॥१८८३॥ (યમ-સોમ-સૂર-સુરપુ-સ્વારી કીનિ નથતિ : / मन्त्राह्वानमेव चेन्द्रादीनां वृथा सर्वम् ॥)
ગાથાર્થ - યમ-સોમ-સૂર્ય અને સુરગુરુનાં સ્વર્ગલોકનાં રાજ્યો યજ્ઞો દ્વારા જય પામે છે તથા મંત્રો દ્વારા ઈન્દ્ર આદિ દેવોનું જે આહ્વાન કરવામાં આવે છે તે સઘળું વ્યર્થ થશે. //૧૮૮૩/l.
વિવેચન - “યમ-સીમ-સૂર્ય-સુરપુર-સ્વીરાખ્યાન નતિ” યમ-સોમ-સૂર્ય અને સુરગુરુ (બૃહસ્પતિ)નાં સ્વર્ગલોકમાં જે જે રાજ્યો છે” તે ઉલ્થષોડશી વગેરે ક્રતુ (એક પ્રકારનો યજ્ઞ) કરવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. દેવલોકમાં રહેલાં તે તે દેવોનાં રાજ્યો ઉલ્થષોડશી વગેરે નામોવાળા ક્રતુઓ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારનાં જે જે શ્રુતિવાક્યો છે તે દેવોના અસ્તિત્વને સૂચવનારાં છે. જો દેવલોકમાં દેવો ન હોત તો આ અર્થને જણાવનારાં વેદવાક્યો વ્યર્થ જ થાય. માટે અવશ્ય દેવો છે. “ઉજ્જૈષોડશી” વગેરે નામવાળા એક પ્રકારના યજ્ઞો જ છે એમ જાણવું.
પ્રશ્ન - ક્રતુ એટલે પણ યજ્ઞ અને યજ્ઞ એટલે પણ યજ્ઞ. તો આ ક્રતુમાં અને યજ્ઞમાં તફાવત શું ?
ઉત્તર - “ચૂપ” (પશુને બાંધવાનો એક પ્રકારનો ખીલો) સહિત જે યજ્ઞ કરાય તેને ક્રતુ કહેવાય છે અને ચૂપ રહિત જે યજ્ઞ કરાય કે જેમાં દાનાદિ ક્રિયા વિશેષ હોય છે તેને યજ્ઞ કહેવાય છે.
सयूपो यज्ञः एव क्रतुः, यूपरहितस्तु दानादिक्रियायुक्तो यज्ञः ।
સ્વીરેચન =શબ્દમાં સ્વ શબ્દ છે. ? એટલે કે સ્વર્ગલોક અર્થાત્ દેવલોક, ત્યાં રહેલાં જે રાજ્યો તેને સ્વારાજ્ય કહેવાય છે. ગતિ એવું જે ક્રિયાપદ છે તેનો અર્થ ૩૫ર્નતિ અર્થાત્ મેળવે છે. પ્રાપ્ત કરે છે એવો અર્થ કરવો. સારાંશ કે ઉસ્થષોડશી વગેરે ધૂપ સાથેના ક્રતુ યજ્ઞો કરવાથી તે કર્તા યમ-સામ-સૂર્ય અને સુરગુરુનાં જે જે રાજ્યો દેવલોકમાં છે તે આવો યજ્ઞ કરનાર પ્રાપ્ત કરે છે. આ વાક્યો દેવોના અસ્તિત્વને સૂચવનારાં છે. જો સ્વર્ગલોક અને ત્યાં વસનારા દેવો ન હોય તો આ વેદવાક્યો નિષ્ફળ થાય.