________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.463
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૩
तन् न यतस्तथ्यार्थे सिद्ध उपचारतो मता सिद्धिः । तथ्यार्थ-सिंहे सिद्धे माणवसिंहोपचार इव ॥)
ગાથાર્થ – “દેવ” આવું જે પદ છે તે શુદ્ધપદ હોવાથી “ઘટ” નામની જેમ સાર્થક છે અથવા કદાચ આવો પ્રશ્ન થાય કે ગુણ અને ઋદ્ધિથી સંપન જે મનુષ્ય છે. તે જ દેવ હો. તે બરાબર નથી. કારણ કે તથ્ય વસ્તુ હોતે છતે ઉપચારની સિદ્ધિ થાય છે. જેમ તથ્ય (સાચો) સિંહ સિદ્ધ છે. તો જ માનવમાં (મનુષ્યમાં) સિંહનો ઉપચાર કરાય છે. l/૧૮૮૦-૧૮૮૧/l
વિવેચન - “દેવ” આવું નામ સાર્થક છે. એટલે કે તે નામથી વાચ્ય વસ્તુ સંસારમાં છે. કારણ કે વ્યુત્પત્તિવાળું શુદ્ધપદ હોવાથી “ઘટ” એવા નામની જેમ. જે જે શબ્દોની વ્યુત્પત્તિ થતી હોય છે અને શુદ્ધપદ હોય છે તે તે શબ્દોથી કહેવાતી વસ્તુ અવશ્ય હોય જ છે. ધાતુ અને પ્રત્યય લાગીને કર્તરિ-કર્મણિ વગેરેમાં અર્થ થતો હોય તે વ્યુત્પત્તિ કહેવાય છે અને સમાસ વિનાનો એકલો શબ્દ હોય તેને શુદ્ધપદ કહેવાય છે. જેમકે “પટ” આવું જે નામ છે તે ચેષ્ટાયામ્ ઘટ ધાતુ છે. ચેષ્ટા તેનો અર્થ છે. જલાધારાદિ ચેષ્ટા જે કરે તેને ઘટ કહેવાય છે તથા “ઘટ” એ સામાસિક પદ નથી. એકલો શબ્દ છે. તેથી ઘટ નામનો પદાર્થ સંસારમાં છે. તો જ તેનું “પટ” આવું નામ પ્રવર્યું છે.
તેવી જ રીતે “રીવ્યક્તીતિ કેવી?” = જે દેદીપ્યમાન હોય, જે શોભાયમાન હોય તેને દેવ કહેવાય છે. હિન્દ્ર ચોથા ગણનો દિવાદિ ધાતુ છે. તેના ઉપરથી કર્તરિમાં મમ્ પ્રત્યય થઈને દેવ શબ્દ બનેલો છે. આ વ્યુત્પત્તિ થઈ છે. કોઈપણ જાતનો સમાસ થયો નથી. તદ્ધિતના પ્રત્યયો થયા નથી. તેથી એકલવાયો શબ્દ છે. માટે શુદ્ધ પદ પણ છે. આ રીતે વ્યુત્પત્તિવાળો શબ્દ હોવાથી અને શુદ્ધપદ હોવાથી ઘટની જેમ દેવ શબ્દથી વાચ્ય એવા દેવો અવશ્ય છે. આ વાતનો ભાવાર્થ પૂર્વની ગાથામાં ૧૮૭૯ માં કંઈક કહેવાયો છે.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! અહીં આપણી ચક્ષુ સમક્ષ દેખાતો મનુષ્ય જે છે તે જ “દેવ” છે આમ માનીએ તો શું દોષ આવે ? કે જેથી ન દેખાતા એવા અદૃષ્ટ દેવની કલ્પના કરવી પડે ? અહીં મને કોઈ પૂછે કે શું સર્વે પણ મનુષ્યને દેવ માનવાના ? તો હું કહું છું કે ના, સર્વે મનુષ્યોને દેવ નહીં માનવાના, પરંતુ જે જે મનુષ્યો ગુણોથી અને ઋદ્ધિથી સંપન્ન હોય છે. તેવા મનુષ્યોને જ દેવ માની લો તો શું ખોટું છે ? જેમકે ઘણા ઘણા ગુણોથી સંપન્ન ગણધરાદિ જે છે તે જ દેવ છે. તથા ઋદ્ધિથી સંપન્ન ચક્રવતી આદિ જે રાજા-મહારાજા છે તે જ દેવ છે. આમ ગુણોથી અને ઋદ્ધિથી સંપન્ન જે મનુષ્યો છે તે જ દેવ છે આમ માનો. અતિરિક્ત અદેશ્ય દેવ છે આમ માનવાની જરૂર શું છે ?