________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.462
૪૬૨ સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ વ્યતિરિક્ત (આત્મા વિનાની) એવી બીજી કોઈ અદેશ્ય વસ્તુ વડે યુક્ત આ પુરુષનો દેહ છે. તો તેમાં જે અદેશ્ય પદાર્થ છે. તે જ ભૂત-પ્રેત વગેરે નામના હલકા દેવો છે. જેમકે ગાડી એક યંત્ર છે. તે બરાબર ચાલતી હોય, લાલ-લીલી-લાઈટ આવતી હોય, નિયત સ્થળે ઉભા રહેવા અને ચાલવાની ક્રિયા બરાબર કરતી હોય, તો તે યથાર્થ ક્રિયા જડ એવી ગાડીમાત્રની સંભવિત નથી. તેથી ન દેખાતો પણ અંદર પ્રવેશેલ કોઈ ગાડી ચલાવનારો વ્યવસ્થિત પુરુષ(ડ્રાઈવર) જેમ છે આમ માનવું જ પડે છે. તેમ અહી સમજવું.
(૫) ૩ષ્ટપુષગ્રંથમવત્ = જેમ ઉત્કૃષ્ટ પાપનો સમૂહ આ જીવે બાંધ્યો હોય અર્થાત્ ઘણાં ઘણાં હિંસા, જૂઠ આદિ પાપો કર્યા હોય તો તે પાપના સમૂહનું ફળ ભોગવવાનું નિશ્ચિત સ્થાન નારકી છે. તેની જેમ આ જીવે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોય એટલે કે ઘણાં ઘણાં તપ-ત્યાગ-દાનાદિ ધર્માનુષ્ઠાન કરીને ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તો તે ઉત્કૃષ્ટ પુણ્યના સંચયનું જે ફળ છે. તે ફળ ભોગવવાનું નિશ્ચિત સ્થાન જે છે તે દેવલોક છે માટે દેવો છે. આ વાત પહેલાં ૧૮૭૪ મી ગાથામાં પણ કહેવાઈ ગઈ પણ છે.
(૬) ગમથાતિ : = “દેવ” એવું શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ (અભિધાન = નામ) હોવાથી પણ દેવો છે આ સંસારમાં જે જે ઘટ-પટ વીર-ચૈત્ર-મૈત્ર ઈત્યાદિ નામો પ્રવર્તે છે. તે તે નામવાળી વસ્તુ હોય જ છે. તેવી રીતે “દેવ” આવું નામ પણ પ્રવર્તે જ છે. માટે “દેવ” શબ્દથી વાચ્ય એવા દેવો અવશ્ય છે. આ વાત આગલી ગાથામાં ૧૮૮૦ માં વધારે સમજાવાશે.
(૭) સર્વાદ્ધિતઃ = જૈન-જૈનેતર સર્વે પણ આગમશાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે દેવોનું વર્ણન આવે છે. માટે દેવોની માન્યતામાં અવિવાદ (કોઈપણ જાતનો વિવાદ ન) હોવાથી અને આ રીતે દેવો સિદ્ધ હોવાથી “દેવો છે” આમ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે સાત કારણોથી દેવોની સિદ્ધિ કરી. તેમાંનું “માનસિદ્ધિત:' નામનું જે છઠું કારણ છે તે આગલી ગાથામાં વધારે સ્પષ્ટ કરશે. ૧૮૭૮-૧૮૭૯માં
देवत्ति सत्थयमिदं, सुद्धत्तणओ घडाभिहाणं व । अह व मई मणुउच्चिय देवो गुणरिद्धिसंपण्णो ॥१८८०॥ तं न जउ तच्चत्थे सिद्धे, उवयारओ मया सिद्धी । तच्चत्थसीह सिद्धे, माणवसीहोवयारो व्व ॥१८८१॥ (देवा इति सार्थकमिदं, शुद्धत्वतो घटाभिधानमिव । अथवा मतिर्मनुज इव देवो गुणर्द्धिसंपन्नः ॥