________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
...461
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૧
વિકારથી, ઉત્કૃષ્ટ પુણ્યસંચયનું ફળ હોવાથી, “દેવ” એવા નામની પ્રસિદ્ધિ હોવાથી તથા સર્વ આગમોમાં વર્ણન હોવાથી “દેવો છે' આવી શ્રદ્ધા કરવી જોઈએ. ૧૮૭૮-૧૮૭૯)
વિવેચન - આ સંસારમાં દેવો ભલે દેખાતા નથી. પરંતુ અવશ્ય છે જ. તેનાં આ બે ગાથામાં સાત કારણો જણાવ્યાં છે. તે આ પ્રમાણે છે
-
(૧) “દેવો છે જ” આમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ. કારણ કે ‘‘જ્ઞાતિસ્મરળપ્રત્યયિતપુરુષળ થના'' જેમ જુદા જુદા દેશોમાં ફરનારા અને અતિશય વિશ્વાસુ એવા પુરુષ વડે જોવાયેલા અને જોઈને કહેવાયેલા ચિત્ર-વિચિત્ર દેવકુલાદિ (દેવમંદિરો-પર્વતોનદીઓ વગેરે) પદાર્થો તે જેમ કહે છે તેમ આપણે ન જોયા હોય તો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઈએ છીએ. તે જ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાનવાળા અને અત્યન્ત વિશ્વાસુ એવા પુરુષ વડે પોતાના પૂર્વભવ સ્વરૂપે “હું અમુક દેવલોકનો દેવ હતો” ઈત્યાદિ કથનથી માની લેવું જોઈએ કે “દેવો છે”.
(૨)
ચિત્ પ્રત્યક્ષવર્ણનાત્ = તપ, સંયમ અને જ્ઞાનાદિ ગુણોની ઘણી સંપત્તિવાળા કોઈ કોઈ મહાત્મા પુરુષોને દેવોનાં પ્રત્યક્ષદર્શન પણ થતાં હોવાથી દેવો છે એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ. જેમ અતિશય દૂર દૂર કોઈ નગરાદિ હોય, જે આપણા ચક્ષુની શક્તિ ન્યૂન હોવાથી ન દેખાતાં હોય તો પણ સુંદર ચક્ષુવાળા વિશ્વાસુ પુરુષ વડે જો તે નગરાદિ પ્રત્યક્ષ દેખી શકાતાં હોય અને આપણને કહે તો તે આપણે જેમ માની લઈએ છીએ તેમ અહીં સમજવું.
=
(૩) વિદ્યામન્ત્રોપવાચનાર્યસિદ્ધેઃ વિદ્યા અને મંત્રોનો જાપ, સાધના અને આરાધના કરવા દ્વારા પ્રસન્ન કરાયેલા દેવો પાસે ઉપયાચના (માગણી) કરવા વડે પોતપોતાના કાર્યની સિદ્ધિ લોકો કરે છે. તેથી દેવો છે આમ માનવું જોઈએ. જેમકે અનેક પ્રકારનાં કાવ્યો બનાવવા દ્વારા અથવા ભેટણાં ધરવા વડે અથવા સેવા કરવા વડે પ્રસન્ન થયેલા રાજા-અમાત્ય આદિ દ્વારા આપણાં કાર્યોના ફળની પ્રાપ્તિ થતી હોય છે. તેથી રાજા-અમાત્યાદિ છે. એમ જેમ માનીએ છીએ તેમ અહીં સમજવું. જેનો અધિષ્ઠાયક દેવ હોય તેને મંત્ર કહેવાય છે અને જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા કહેવાય છે. પ્રસન્ન થયેલા રાજાની જેમ પ્રસન્ન થનારા દેવો જાણવા.
(૪) પ્રવિાાત્ = ગ્રહો એટલે ભૂત-પ્રેત-પિશાચાદિ તુચ્છ દેવો. કોઈ સ્ત્રી અથવા પુરુષના શરીરમાં ભૂત-પ્રેત આદિ તુચ્છ દેવોનો જ્યારે પ્રવેશ થાય છે. ત્યારે સામાન્ય પુરુષમાં ન સંભવી શકે તેવા તેવા વિકારોવાળી (હસવું, તાળી પાડવી, ધુણવું, આંખોના ચેનચાળા કરવા વગેરે) ક્રિયાઓ જ્યારે દેખાય છે. ત્યારે માનવું જ પડે છે કે આત્માથી