________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
૪૫૮
સાતમા ગણધર - મૌર્ય
(सङ्क्रान्तदिव्यप्रेमाणो विषयप्रसक्ता असमाप्तकर्तव्या । अनधीनमनुजकार्या, नरभवमशुभं नायन्ति सुराः ॥ )
(BUTTER - DT. 16-3-2009)
=
...458
ગાથાર્થ પરસ્પર દિવ્યપ્રેમ વાળા, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત, નથી સમાપ્ત થયાં કર્તવ્યો જેનાં એવા તથા મનુષ્યોના કાર્યને આધીન નહી એવા દેવો અશુભ એવા મનુષ્યભવમાં આવતા નથી. II૧૮૭૫
-
ગણધરવાદ
વિવેચન દેવો હંમેશાં મનુષ્યભવમાં કેમ આવતા નથી. તેના પાંચ કારણો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જણાવે છે.
(૧) માત્તવિવ્યપ્રેમત્વાત્ = દેવ અને દેવીઓનો પરસ્પર અત્યન્ત પ્રેમ સંક્રાન્ત થયેલો છે. એટલે દેવો હંમેશાં આ મનુષ્યલોકમાં આવતા નથી. જેમ અતિશય રૂપાદિ ગુણવાળી કામિનીમાં આસક્ત બનેલો અને રમણીય એવી ભોગભૂમિમાં ગયેલો પુરુષ જલ્દી પોતાના દેશમાં આવતો નથી. તેમ અહીં જાણવું.
(૨) વિષયપ્રસવતત્વાત્ = દેવો દેવીઓ સાથે અને દેવીઓ દેવો સાથે વિશિષ્ટ પુણ્યોદયવાળા હોવાથી પાંચે ઈન્દ્રિયોના વિષય સુખોમાં ઘણા જ આસક્ત છે. તેથી આ મનુષ્યલોકમાં દેવો આવતા નથી. અહીં ઉપર કહેલું જ ઉદાહરણ સમજી લેવું. જેમ પરદેશ ગયેલો પુરુષ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં આસક્ત થયો છતો સ્વદેશ જલ્દી આવતો નથી તેમ અહીં સમજવું.
(૩) અસમાપ્ત ર્તવ્યત્વાત્ = પોતાનાં દેવભવનાં જે કાર્યો હોય છે તે ક્યારેય પૂરાં થતાં નથી. તેથી આ મનુષ્યલોકમાં આવતા નથી. જેમ ઘણાં ઘણાં કાર્યો કરવામાં જોડાયેલ વિનીત પુરુષ કામ પુરાં નહીં થવાથી અને વિનયવાળો હોવાથી જલ્દી જલ્દી ઘરે આવતો નથી તેમ દેવો આ લોકમાં આવતા નથી.
(૪) અનધીનમનુનાયંત્વાત્ = તે દેવો મનુષ્યોનાં કાર્યો કરવાને આધીન નથી માટે આવતા નથી. મનુષ્યોનાં કાર્યો તે દેવોએ કરી આપવાં જોઈએ, એવી આધીનતા નથી. માટે આ લોકમાં આવતા નથી. જેમ નિઃસંગ અને નિઃસ્પૃહ એવા મુનિ જે તે ઘરોમાં જતા નથી. જ્યાં સંયમાદિ ગુણોની બાધા આવે એવા અભિમત ઘરોમાં તેઓનું ગમન જેમ થતું નથી તેમ દેવો આ લોકમાં આવતા નથી.
(५) नरभवस्याशुभत्वात् = આ મનુષ્યોનો દેહ અશુભ છે. મલ-મૂત્ર-હાડ-માંસચરબી આદિથી ભરેલો છે. તેથી તે શરીરમાંથી નિરંતર નીકળતા અશુભ પરમાણુઓની