SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ૨૩ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ નાદું વાછું” અને “હું નથી” આવું બોલતાં પૂર્વે કહેલું પોતાનું જ વચન પાછળ કહેલા બીજા વચનથી ખંડિત થાય છે. તેથી સ્વવનવ્યાતિ નામનો દોષ પણ લાગે છે. ન્યાયશાસ્ત્રની પરિભાષા પ્રમાણે અનુમાનમાં મુકાયેલા ખોટા હેતુને અસિદ્ધ, અનૈકાન્તિક અને વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જે હેતુ પક્ષમાં જ ન વર્તે તે અસિદ્ધ હેત્વાભાસ. જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) પણ વર્તે તે અનૈકાન્તિક જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) જ વર્તે તે વિરુદ્ધ. હેત્વાભાસના આ ત્રણે દોષો પણ તમને લાગે છે. તે આ પ્રમાણે - (૫) હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મતા, જેમ પર્વતમાં ધૂમ હોઈ શકે છે. તે પક્ષધર્મતા કહેવાય છે. પક્ષમાં હેતુનું ન હોવું તે અપક્ષધર્મતા. જેમકે સમુદ્રમાં ધૂમ હોતો નથી તે અપક્ષધર્મતા. તેથી જ્યાં પક્ષધર્મતા ન હોય અર્થાત્ અપક્ષધર્મતા હોય તેને અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “સમુદ્રો વદ્વિમાન્ ધૂમાત્” આ અનુમાનમાં સમુદ્રમાં ધૂમ નથી. આ વાત અનુભવસિદ્ધ છે. માટે અપક્ષધર્મતા હોવાથી હેતુ અસિદ્ધ કહેવાય છે. તેની જેમ હે ગૌતમ? તમારા અનુમાનનો હેતુ પણ અસિદ્ધ હેત્વાભાસ છે. ૧૫૫૩ મી ગાથાના ઉત્તરાર્ધમાં તમે આવું અનુમાન કર્યું છે. “નીવઃ સર્વપ્રમાવિષયાતીતઃ, માવોપન્નાપ્રમાગ્નિવિષયાતીતત્વીતુ” જેમ સમુદ્રમાં વહ્નિ નથી છતાં “સમુદ્રો વદ્વિમાન'' આમ બોલવું તે પ્રત્યક્ષથી બાધિત પક્ષ છે. તેમ અહીં પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણોથી જીવ સિદ્ધ થાય છે. છતાં જીવ સર્વપ્રમાણોના વિષયથી અતીત છે આમ બોલવું તે પ્રત્યક્ષથી બાધિત પક્ષ કહેવાય છે તેથી વદ્ધિમાનું સમુદ્રને બદલે વદ્ધિ વિનાના સમુદ્રમાં એટલે કે પ્રત્યક્ષબાધિત એવા સમુદ્રમાં જેમ ધૂમહેતુ નથી વર્તતો, તેથી અપક્ષધર્મ બનવાથી અસિદ્ધહેત્વાભાસ થાય છે. તેમ અહીં પણ સર્વપ્રમાણવિષયાતીતને બદલે સર્વપ્રમાણના વિષયવાળો જીવ છે. માટે પ્રત્યક્ષબાધિત પક્ષ થયો, તેમાં હેતુ વર્તતો નથી. કારણ કે ત્યાં જીવની સિદ્ધિમાં પાંચે પ્રમાણો પ્રવર્તે છે. પ્રમાણપક્ષવિષયાતીત પણે ત્યાં નથી. તેથી અપક્ષધર્મ થવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. (૬) જે હેતુ સાધ્યના અભાવમાં પણ વર્તે છે તેને અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. જેમકે “પર્વતો વદ્વિમાન, પ્રમેયત્વીત્' આ અનુમાનમાં “પ્રયત્ન” હેતુ સાધ્યાભાવ એવા સમુદ્રાદિમાં વર્તે છે. માટે અનૈકાન્તિક છે. તેવી જ રીતે તમારો માવોપન્નBHUT
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy