SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ વટવ'' શબ્દ એ કંઠ-તાલુના પ્રયત્નથી જન્ય છે માટે કૃત્રિમ છે. તેથી ઘટ-પટની જેમ અનિત્ય છે. આવા પ્રકારના અનિત્યસાધક આ બીજા અનુમાન વડે પ્રથમ અનુમાન ખંડિત થાય છે. તેની જેમ “માત્મા નાત'' આવા પ્રકારનું હે ગૌતમ ! તમારું જે અનુમાન છે તેનાથી વિરોધી એવાં ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ માં હવે કહેવાતાં આત્માના મસ્તિત્વ ને જણાવનારાં પ્રતિસ્પર્ધી અનુમાનો ઘણાં હોવાથી તમારું અનુમાન પણ “નિત્ય શબ્દઃ' ની જેમ અનુમાન વિરુદ્ધ (સત્યતિપક્ષ) હેત્વાભાસરૂપ છે. (૩) પહેલાં વસ્તુ છે એમ સ્વીકારવું અને પછી તે વસ્તુ નથી આમ કહેવું. તેને મ્યુપામવિરુદ્ધ નામનો દોષ કહેવાય છે. જેમ સાંખ્યદર્શનમાં આત્માની બાબતમાં "अन्यस्त्वकर्ता निर्गुणश्च भोक्ता, प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा । अहंकारવિમૂહાત્મા તૃહમિતિ મતે, નિત્યવિષ્ણુપેત: પુમાન' આવો અભ્યપગમ છે. આમાં આત્માને અકર્તા, નિર્ગુણ અને ભોક્તા કહ્યો છે તથા નિત્ય અને ચૈતન્યયુક્ત આત્મા છે આમ કહે છે. તેના બદલે કોઈ સાંખ્ય “આત્મા કર્યા છે, અનિત્ય છે અને અચેતન છે” આવી પ્રતિજ્ઞા કરે તો તેને પોતાના સિદ્ધાન્તની સાથે જેમ અભ્યપગમવિરુદ્ધ નામનો દોષ કહેવાય છે. તેમ “મદગ્નિ સંશયી” સંશયજ્ઞાનવાળો એવો હું છું. આમ સંશય આત્માનો ગુણ હોવાથી ગુણ સ્વીકારવાથી ગુણી એવા આત્માને પહેલાં સ્વીકારી લો છો અને પછી કહો છો કે “નાસ્મિ' હું નથી આમ બોલતા એવા તમને હે ગૌતમ ! સાંગની જેમ અભુગમ વિરુદ્ધ નામનો દોષ આવે છે. (૪) લોકમાં આબાલગોપાલ જે પ્રસિદ્ધ હોય તેને જો ન માનીએ તો લોકવિરોધ નામનો દોષ પણ આવે છે. જેમકે આકાશમાં જે ચંદ્ર છે. તેને જ શશી કહેવાય છે. આ વાત બાળકથી ગોપાળ સુધી અભણ જીવોમાં પણ પ્રસિદ્ધ છે. છતાં કોઈ એમ માને કે શશી એ વન્દ્ર છે અર્થાત્ શશી એ ચંદ્ર નથી. તો જેમ લોકવિરોધ નામનો દોષ લાગે, તેમ આ-બાલ-ગોપાલ પ્રસિદ્ધ એવા આત્માને ન માનતાં આ લોકવિરોધ નામનો દોષ પણ આવે છે. (૫) વક્તા પોતે પહેલાં કંઈ બોલે અને પછી કંઈ બીજું જ બોલે તો વક્તાને “વનવ્યાતિ” પોતાના જ વચનનું પોતાના જ વચન વડે ખંડન કર્યાનો દોષ લાગે. જેમકે “જે મીતા વચ્ય” આ મારી મા છે તે વંધ્યા (વાંઝણી) છે અર્થાત્ સંતાન વિનાની છે. અહીં પ્રથમ વાક્યમાં કહે છે કે આ મારી મા છે એટલે પોતે જ તેનું સંતાન છે. આ વાત કથિત થાય છે ત્યારબાદ બીજા જ વાક્યમાં કહે છે તે માતા વળ્યા છે = સંતાન વિનાની છે. તો પોતાના જ વચન વડે પોતાના જ વચનનું ખંડન થાય છે. તેની જેમ “મર્દ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy