SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ D:/PIII/DHIRUBHAI GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009) .454 ૪૫૪ સાતમા ગણધર - મૌર્ય ગણધરવાદ ગાથાર્થ - આ ચંદ્રાલયાદિ શું હશે ? તે કોણ જાણે ? હે મૌર્ય ! નક્કી તે વિમાનો જ છે. રત્નમય હોતે છતે નભોગમનવાળાં છે માટે, જેમ વિદ્યાધર આદિનાં વિમાનો હોય છે તેમ. /૧૮૭૨/ વિવેચન - અથવા આ વિષયમાં કદાચ પરની (મૌર્યપંડિતની) આવી બુદ્ધિ થાય અર્થાત્ કદાચ આવી શંકા થાય કે - મૌર્યપંડિત – હે ભગવાન્ ! આકાશમાં ચંદ્ર અને સૂર્યનાં જે વિમાનો દેખાય છે. જેને “માનટ્વિીન્'' નિવાસસ્થાન છે એમ કહીને આપશ્રી તે સઘળાં જ્યોતિષ્કનાં વિમાન છે આમ સિદ્ધ કરો છો અને આલય હોવાથી તેમાં વસનારા જ્યોતિષ્ક દેવો છે આવું કહો છો. પરંતુ ત્યાં શંકા થાય છે કે આ જે દેખાય છે તે શું હશે ? આ કોણ જાણે ? જ્યોતિષ્કનાં વિમાનો ન હોય પરંતુ સૂર્યનું વિમાન એ અગ્નિનો ગોળો હોય. કારણ કે ઉષ્ણતા વરસાવે છે. ચંદ્રનું વિમાન જે કહો છો તે સ્વભાવથી જ સ્વચ્છ એવા પાણીનો બનેલો ગોળો હોય. કારણ કે શીતળતા વરસાવે છે. આવું કેમ ન હોય ? વિમાનો જ છે એવું કોણ જાણે ? અથવા તો આવા પ્રકારના જ દેદીપ્યમાન એવા રત્નોના ગોળા જ હોય એવું પણ કેમ ન બને ? જ્યોતિષ્કનાં વિમાનો જ છે આવું કોણ જાણે ? જ્યાં સુધી આ નિર્ણય ન જણાય ત્યાં સુધી તે વિમાનો છે અને દેવોનાં નિવાસસ્થાનો છે. તેમાં દેવો વસે છે આમ કેવી રીતે કહેવાય ? આગના-પાણીના અથવા રત્નોના ગોળા જ માત્ર હોય અને વિમાનો ન હોય અને તેથી તેમાં દેવો ન હોય આવું પણ કેમ ન બને ? ભગવાન – જરા પણ શંકા વિના આ દેવોનાં વિમાનો જ છે તે અનુમાનથી સમજી શકાય તેમ છે. તે અનુમાન આ પ્રમાણે છે - "एतानि विमानान्येव, रत्नमयत्वे सति नभोगमनात्, पुष्पकादिविद्याधरતપ:સિદ્ધવિમાનવતુ” તિ આ જે આકાશમાં પરિભ્રમણ કરતાં વિમાનો દેખાય છે તે ગોળા નથી પણ જ્યોતિષ્ક દેવનાં વિમાનો જ છે. કારણ કે તે રત્નનાં બનેલ હોતે છતે આકાશમાં ગતિ કરે છે. જે જે રત્નનાં બનેલાં હોય અને ગગનગામી હોય તે અવશ્ય વિમાનો જ હોય. જેમકે તેવા પ્રકારના કોઈ વિદ્યાધરના તપથી સિદ્ધ થયેલા વિમાનની જેમ. સાર એ છે કે વિદ્યાધરોના વિમાનોની જેમ રત્નનાં બનેલાં છે અને ગગનગામી છે. માટે દેવોનાં વિમાનો જ છે. પણ અગ્નિના કે પાણીના ગોળા નથી. અહીં વાદળ અને વાયુ પણ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy