SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009) *.453 ૪૫૩ ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય છે. તેથી તેમાં રહેનારા જીવો પણ દેવદત્તાદિથી વિશિષ્ટ છે. અર્થાત્ દેવદત્તાદિથી જુદા છે. તે આલયો રત્નમય દૈવિક છે, દિવ્ય પ્રભાવવાળાં છે. તેથી તેમાં રહેનારા જીવો પણ માનવ કરતાં વિશિષ્ટ છે, દૈવિક શક્તિવાળા છે અને દિવ્ય પ્રભાવવાળા છે. તેથી દેવદત્તાદિથી વિલક્ષણ એવા દેવો સિદ્ધ થાય છે. મૌર્યપંડિત - હે ભગવાન્ ! કોઈપણ આલય હોય એટલે તેમાં નિવાસ કરનારા જીવો હોય છે. આ વાત સિદ્ધ કરવામાં આપશ્રી “માનિયંતિ'' એવો જે હેતુ જણાવો છો. તે હેતુ વ્યભિચારી અર્થાત્ અનૈકાન્તિક હેત્વાભાસ છે. કારણ કે નિવાસ કરનારા જીવો ન હોય એવા શૂન્યાલયને પણ આલય તો કહેવાય જ છે. ત્યાં તેમાં નિવાસ કરનારા મનુષ્યો નથી. તેથી વ્યભિચાર દોષ આવે જ છે. ચન્દ્રાદિત્યવિમાને", તેવા સંન્તિ, ગાયત્વત્ પુરવત્ આવા પ્રકારના અનુમાનમાં જે નિયત્વીત્ હેતુ છે, તે જ્યાં દેવો ન હોય એવાં શૂન્ય આલયો પણ હોય છે. ત્યાં દેવો નથી (એટલે સાધ્યાભાવ છે) અને હેતુની વૃત્તિ છે. માટે હેતુ વ્યભિચારી અર્થાત્ અનૈકાત્તિક થાય છે. ભગવાન - જે નિલયસ્થાનો (આલયસ્થાનો અર્થાત્ આશ્રયસ્થાનો) છે. તે સદા શૂન્ય હોતાં નથી. જે કોઈપણ નિલયસ્થાનો છે તે પૂર્વકાલમાં, વર્તમાનકાલમાં અથવા ભવિષ્યકાલમાં અવશ્ય નિવાસિ જીવો વડે અધિષ્ઠિત હોય છે. ત્રણે કાલે સર્વથા શૂન્ય હોતાં નથી. જેમકે કોઈપણ ગામમાં મનુષ્યોનાં ઘરો-આલયસ્થાનો છે તે ક્યારેક શૂન્ય હોય એવું બને, પરંતુ ત્રણે કાલ શૂન્ય હોતાં નથી. તેમાં કોઈક કાલે તો તનિવાસી મનુષ્યો અવશ્ય હોય જ છે. તેમ ચંદ્રાદિનાં આલયો પણ ત્રણે કાલ શૂન્ય હોતાં નથી. જ્યારે ત્યારે એટલે કે ક્યારેક ક્યારેક તેમાં દેવો વસે છે. અર્થાત્ ક્યારેક ક્યારેક તેમાં વસનારા દેવો પ્રયોજનાર્થે બહાર જાય છે. પરંતુ ઘણો ખરો સમય દેવો તેમાં રહે છે. એટલે જ તે વિમાનો તે દેવોનાં છે આમ કહેવાય છે. આ રીતે જ્યોતિષ્ક વિમાનવાસી દેવો સિદ્ધ થાય છે./૧૮૭૧|| મૌર્યપંડિત તરફથી પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે - को जाणइ व किमयं ति होज, णिस्संसयं विमाणाई । रयणमयनभोगमणादिह जह विज्जाहराईणं ॥१८७२॥ (को जानाति वा किमेतदिति भवेन् निस्संशयं विमानानि । रत्नमयनभोगमनादिह यथा विद्याधरादीनाम् ॥)
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy