________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.450
૪૫૦
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
“તે દેવો છે કે નથી” આમ તમોને દેવોને વિષે શંકા થયેલી છે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં કહેવાય છે. ll૧૮૬૭-૧૮૬૮
मा कुरु संशयमेए सुदूरमणुयाइभिन्नजाइए । पेच्छसु पच्चक्खं चिय, चउव्विहे देवसंघाए ॥१८६९॥ पुव्वंपि न संदेहो जुत्तो, जं जोइसा सपच्चक्खं । दीसंति तक्या वि य उवघायाऽणुग्गहा जगओ ॥१८७०॥ (मा कुरु संशयमेतान्, सुदूरमनुजादिभिन्नजातीयान् । प्रेक्षस्व प्रत्यक्षमेव, चतुर्विधान् देवसङ्घातान् ॥ पूर्वमपि न संदेहो युक्तो यज्ज्योतिष्काः स्वप्रत्यक्षम् । દૃશ્યને તવૃતી મપ ચોપથતિનુ નાત: છે)
ગાથાર્થ - હે મૌર્ય ! તમે સંશય ન કરો. મનુષ્યાદિથી અત્યન્ન ભિન્ન જાતિવાળા ચારે નિકાયના આ દેવસમૂહને તમે પ્રત્યક્ષ દેખો. આ પ્રત્યક્ષદર્શનના પૂર્વકાલમાં પણ સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે જે જ્યોતિષ નિકાયના દેવો છે તે તો તમને પોતાને જ પ્રત્યક્ષ છે. તથા બીજા દેવો વડે જગતના જીવોને અનુગ્રહ-ઉપઘાત થાય છે. તેથી બીજા દેવો પણ છે. /૧૮૬૯-૧૮૭oll
વિવેચન - હે મૌર્યપંડિત ! તમે દેવોની બાબતમાં સંશય ન કરો. કારણ કે વસ્તુને સમજવા માટેનાં સામાન્યથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ હોય છે. તેના પેટાભેદરૂપ વિશેષથી પ્રત્યક્ષ-અનુમાન ઉપમાન-આગમ-અર્થપત્તિ વગેરે પ્રમાણો હોય છે. આ સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષપ્રમાણ સર્વોપરિ છે. જ્યારે વસ્તુ પ્રત્યક્ષ જ જણાતી હોય છે તો તેને સમજવા-સમજાવવા બીજા પ્રમાણો લગાડવાનાં રહેતાં જ નથી. તેથી હું તમને પ્રત્યક્ષપ્રમાણથી દેવો સમજાવું છું - દેખાડું છું.
હે મૌર્યપંડિત ! આ સમવસરણમાં મને વંદન કરવા માટે આવેલા અને મનુષ્યોથી અત્યન્ન ભિન્ન જાતિવાળા ચારે નિકાયના દેવોને તમે સાક્ષાત્ દેખો કે જે દેવો દિવ્ય આભરણવાળા છે. શરીર ઉપર વિલેપન-વસ્ત્ર અને પુષ્પમાલા વગેરેથી અલંકૃત છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવસમૂહ છે. તેને તમે નરી આંખે સાક્ષાત્ જ દેખો અને જ્યાં વસ્તુ સાક્ષાત્ જ દેખાતી હોય છે ત્યાં અન્ય પ્રમાણોની જરૂર રહેતી નથી.