SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ગણધરવાદ છટ્ટા ગણધર - મંડિક (न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरेवमादीनाम् । वेदपदानां च त्वं, न सदर्थं जानासि ततः शङ्का ॥ तव बन्धे मोक्षे च, सा च न कार्या यतः स्फुट एव । सशरीरेतरभावो, ननु यः स बन्धो मोक्ष इति ॥) ગાથાર્થ - સશરીરી જીવને પ્રિય અને અપ્રિયનો વિનાશ હોતો નથી ઈત્યાદિ વેદપદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી તમને બંધ અને મોક્ષને વિષે શંકા થઈ છે પણ તે શંકા કરવા જેવી નથી. કારણ કે જે સશરીરીભાવ અને ઈતરભાવ (અશરીરીભાવ) સ્પષ્ટ કહ્યો છે તે જ બંધ અને મોક્ષ છે. ll૧૮૬૧-૧૮૬૨// વિવેચન - હે મંડિક ! તમે વેદપદોના અર્થને બરાબર જાણતા નથી. તેથી તમને બંધ-મોક્ષની બાબતમાં શંકા થઈ છે પણ તે શંકા કરવા જેવી નથી. કારણ કે વેદપદોના સાચા અર્થો આ પ્રમાણે છે - "न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" ઈત્યાદિ જે વેદપદો છે તેનો સાચો અર્થ તમે જાણતા નથી. તમારી ઈચ્છા મુજબ અર્થ કરો છો તેથી બંધ અને મોક્ષની બાબતમાં શંકા થાય છે. પરંતુ આ શંકા કરવા જેવી નથી. કારણ કે આ વેદપદોમાં “સરળ અને સાર'' એમ બન્ને પાઠો છે. એક શરીરવાળો આત્મા અને બીજો શરીર વિનાનો આત્મા. આ સશરીરીભાવ અને અશરીરીભાવ એ જ બંધ અને મોક્ષ છે. અહીં શંકા કરવી તે કેમ યોગ્ય કહેવાય ? ભાવાર્થ આ પ્રમાણે છે - ઉપર કહેલાં વેદનાં પદોમાં જે “સશીર' આવો પાઠ છે. તેનો અર્થ અમે જેને સ્થૂલ શરીર કહીએ છીએ અર્થાત્ ઔદારિક-વૈક્રિય શરીર કહીએ છીએ તેને જ તે વેદમાં બાહ્ય શરીર કહેલું છે અને અમે જેને સૂક્ષ્મ શરીર કહીએ છીએ. અર્થાત્ તૈજસ-કાશ્મણ શરીર કહીએ છીએ તેને જ વેદમાં આધ્યાત્મિક એવું અનાદિનું શરીર કહેલું છે. આમ બાહ્ય સ્થૂલ શરીર અને આધ્યાત્મિક એવું અનાદિનું સૂક્ષ્મ શરીર આ બન્ને પ્રકારના ભવોભવના શરીરોની પરંપરામાં આ જીવ સપડાયેલો છે. આ જ બંધ કહેલો છે. તથા “શરીર' એવો જે પાઠ છે તેનાથી બાહ્ય અને આધ્યાત્મિક એમ સર્વ શરીરોનો અપગમ વિશેષ (મૂલથી સંપૂર્ણપણે નાશવિશેષ) થયે છતે આવું જે લખ્યું છે તે જ મોક્ષપદ સૂચવે છે. આ રીતે આ જ વેદપાઠમાં બંધ અને મોક્ષ બને કહેલા છે. તથા “ વિધુ વિમુર્ન વધ્યતે” આ બીજો જે વેદપાઠ છે. તે પાઠ મુક્તજીવ માટેનો છે. પરંતુ તમે તેને સંસારી જીવમાં જોડો છો. “તે આ જીવ વિભુ છે અને વિગુણ થયો છતો કર્મોથી બંધાતો નથી” આવો તેનો અર્થ છે. આ પાઠ તમે સંસારી જીવમાં
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy