SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ છઠ્ઠા ગણધર - મંડિક ગણધરવાદ વિભાગ ન માનીએ તો લોક જેવો વિભાગ ન રહેતાં સર્વ એવું આકાશ આકાશપણે સમાન હોવાથી ગતિભાવે પરિણામ પામેલાં જીવ અને પુગલોને સંપૂર્ણ એવા અનંતાનંત આકાશમાં ગમે ત્યાં ગમનાગમન કરવામાં કોઈપણ જાતનો પ્રતિઘાત ન રહેવાથી (અટકાયત કરનાર કોઈ પદાર્થ ન હોવાથી) તેમની ગતિનું ક્યાંય અવસ્થાન થશે નહીં. ક્યાંય ગતિ અટકશે નહીં. અનંતાનંત અલોકમાં પણ સર્વત્ર ગમનાગમન કરશે અને તે અલોકાકાશ અનંત-અનંત હોવાથી તે જીવોનો અને પુદ્ગલોનો પરસ્પર સંબંધ રહેશે નહીં. કોઈ એક જીવનો બીજા જીવ સાથે ગાઢ રાગ અથવા ગાઢ દ્વેષ થયો હશે. તો ભવાન્તરમાં રાગ દ્વારા સ્નેહપૂર્વક અને દ્વેષ દ્વારા વૈરવૃત્તિ માટે જે પરસ્પર મિલન થાય છે. તે મિલન (સંબંધ) નો પણ અભાવ થશે. જીવો ક્યાંય ફરતા રહેશે અને ઔદારિકાદિથી કાશ્મણ સુધીની વર્ગણાઓના પુદ્ગલ સ્કંધો ક્યાંય ફરતા રહેશે. પરસ્પર સંબંધવિશેષ થશે નહીં અને જીવ તથા પુગલોનો પરસ્પર સંબંધ ન થવાથી “કર્મોનો બંધ, તેનાથી છુટવા સ્વરૂપ મોક્ષ, ઈષ્ટ અને અનિષ્ટ પુદ્ગલોના સંયોગથી સુખ-દુઃખ તથા જીવો અને પુદ્ગલો સાથેનો રાગવૈષવાળો પરિણામ અને તેવા સારા-નરસા પરિણામ દ્વારા દેવ-નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ વગેરેના સાચા (યથાર્થ) વ્યવહારો ઘટશે નહીં. અનંત આકાશમાં જીવો ગમે ત્યાં ફરતા રહેતા હોવાથી એક જીવનું બીજા જીવની સાથે પરસ્પર મિલન અસંભવિત થવાથી તે તે રાગ-દ્વેષી જીવો વડે કરાયેલા અનુગ્રહ અને ઉપઘાતના વ્યવહારનો પણ અભાવ થશે. એટલે કે અનુગ્રહ તથા ઉપઘાતનો વ્યવહાર ઘટશે નહીં. જો લોક-અલોકની વ્યવસ્થા ન માનીએ અને બન્નેનો વિભાગ કરનાર ધર્મઅધર્મ દ્રવ્યો છે. આવું ન માનીએ તો ઉપર કહેલી સર્વે અવ્યવસ્થા જ થાય. તેથી ધર્માધર્મ દ્રવ્ય છે અને તેના વડે કરાયેલી લોક અને અલોકની વ્યવસ્થા છે. આમ માનવું જોઈએ. |૧૮૫૩. ઉપર કરેલી ચર્ચાથી શું સિદ્ધ થયું? તે કહે છે निरणुग्गहत्तणाओ, न गई परओ जलादिव झसस्स । जो गमणाणुग्गहिया, सो धम्मो लोगपरिमाणो ॥१८५४॥ (નિરનુદાત્ર તિ:, પરતો નનાવિ | યો મમતાનુષીતા, સ થર્મો નો પરિમાપ: II) ગાથાર્થ - જેમ જલથી બહાર મલ્યની ગતિ નથી, તેમ અનુગ્રાહક દ્રવ્યના અભાવે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy