________________
૪૩૦ છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ વિવેચન - “અલોક” નામનો પદાર્થ એટલે કે અલોકાકાશ આ સંસારમાં છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કરતાં ભગવાન જણાવે છે કે “લોક” એ શુદ્ધપદ છે અને વ્યુત્પત્તિવાળું પદ છે. તેથી તેનો વિપક્ષ એટલે કે વિરોધપક્ષ “અલોક” આ સંસારમાં અવશ્ય છે જ. જેમ “ઘટ” એ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ હોવાથી તેનો વિપક્ષ “અઘટ” એટલે કે પટાદિ ઈતર પદાર્થ છે તેમ અહીં જાણવું. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
"अस्ति लोकस्य विपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वात्, यथा घटस्याघटः ।"
જે જે વ્યુત્પત્તિવાળાં પદો હોય અને શુદ્ધ પદ (સમાસ વિનાનાં - એકલવાયાં) પદો હોય તે તે પદોથી વાચ્ય વસ્તુથી વિપરીત વસ્તુ આ સંસારમાં અવશ્ય હોય છે. જેમ “ઘટ” એટલે માટીનો ઘટ, આ પદ વ્યુત્પત્તિવાળું પણ છે અને સમાસ વિનાનું એકલું પદ હોવાથી તેનાથી વાચ્ય વસ્તુ ઘટ જેમ છે. તેમ તેનાથી વિરોધી “અઘટ” ઘટ વિનાના પટાદિ ઈતર પદાર્થો પણ છે જ. તેમ “લોક” શબ્દ પણ વ્યુત્પત્તિવાળો અને સમાસ વિનાનો એકલો શબ્દ એટલે શુદ્ધપદ હોવાથી જેમ લોક છે તેમ તેનો વિરોધી અલોક પણ આ સંસારમાં અવશ્ય છે જ. સારાંશ કે વ્યુત્પત્તિવાળા એવા શુદ્ધ પદ વડે જે પદાર્થ કહેવાય તે તો હોય જ છે. પરંતુ તેનો વિપક્ષ પણ અવશ્ય હોય જ છે. તેથી જેમ લોક છે તેમ અલોક પણ અવશ્ય છે જ.
મંડિક - હે ભગવાન!“ નો રૂતિ અત્નો:” જે લોકસ્વરૂપ ન હોય તે અલોક કહેવાય. જેમ “થ: અથર્વ:” આમ નતપુરુષ સમાસ કરીએ તો ૧૪ રાજપ્રમાણ જે આકાશ છે તે લોકાકાશ એટલે કે લોક કહેવાય છે અને જે લોકસ્વરૂપ નથી તે ઘટપટ આદિ સ્થૂલ-સૂમ પદાર્થો જે છે તે જ અલોક છે. આમ જ માની લોને ? લોકની બહાર “અલોકાકાશ” નામનો આકાશાત્મક પદાર્થાન્તર (ભિન્ન પદાર્થ) છે આમ માનવાની શી જરૂર છે ? જે લોકરૂપ ન હોય તે ઘટ-પટ આદિ પદાર્થોને જ અલોક કહોને ? સ્વતંત્ર અલોકાકાશ પદાર્થ માનવાની જરૂર નથી.
ભગવાન - આ પ્રશ્ન ઉચિત નથી. નિષેધવાચક નન્ બે પ્રકારના હોય છે. એક પ્રસજ્ય અને બીજો પઠુદાસ. જે પ્રસર્યો નન્ હોય છે તે નિષેધ જ માત્ર કરે છે. ઈતરનું (વિપક્ષનું) વિધાન કરતો નથી. જેમ “નાતિ અર્થ: વી તત્ અનર્થ વ:” જેનો કંઈ અર્થ નથી તેવું વચન તે અનર્થક વચન અને જે જે શબ્દોના કોઈ અર્થો નથી તે અનર્થક એમ અર્થનો નિષેધ માત્ર જ જણાવે છે તેને પ્રસર્યો નન્ કહેવાય છે. બીજો પર્યદાસ નમ્ છે. તે કરે છે નિષેધ, પણ સમજાવે છે તેના સમાન વિપક્ષનું વિધાન. જેમકે “ર થઈ: