________________
છઠ્ઠા ગણધર - મંડિક
( कर्त्रादित्वतो वा सक्रियोऽयं मतः कुलाल इव ।
देहस्पन्दनतो वा प्रत्यक्षं यन्त्रपुरुष इव ॥)
ગણધરવાદ
ગાથાર્થ - અથવા આ આત્મા કર્તૃત્વાદિ ભાવવાળો હોવાથી ફુલાલની જેમ સક્રિય છે. અથવા પ્રત્યક્ષપણે દેહનું સ્પન્દન વગેરે દેખાતું હોવાથી યન્ત્રપુરુષની જેમ પણ સક્રિય છે. ૧૮૪૬॥
૪૨૩
વિવેચન - મુક્ત આત્મા તેવા પ્રકારનો ઊર્ધ્વગતિપરિણામ, કર્મક્ષય દ્વારા લાઘવતા, બંધનવિચ્છેદ અને પૂર્વપ્રયોગ વગેરે કારણોથી ગતિમાન એટલે કે સક્રિય છે. આત્મા અમૂર્ત હોવા છતાં ચૈતન્યગુણવાળો અને ગતિક્રિયાવાળો છે. આ વાત ઉપર સમજાવી. હવે સંસારી અને મુક્ત એમ બન્ને પ્રકારના આત્મામાં સક્રિયત્વ સમજાવતાં કહે છે કે -
44
‘અયમાત્મા સયિ:, તૃવમોવતૃત્વધર્મવત્ત્વાત્ જ્ઞાનવત્'' આ આત્મા સક્રિય છે. કર્તા-ભોક્તા હોવાથી, કુંભારની જેમ, આ એક અનુમાન છે. જે જે કર્તા-ભોક્તા હોય છે તે નિયમા સક્રિય જ હોય છે. જેમકે કુંભાર ઘટાદિ ભાજનનો કર્તા-ભોક્તા છે. તેથી નિયમા ક્રિયાવાળો છે. તેવી જ રીતે આ આત્મા પણ સુખ-દુઃખ આદિનો કર્તા-ભોક્તા
છે. માટે અવશ્ય સક્રિય છે.
જે દ્રવ્ય સક્રિય હોતું નથી તે દ્રવ્ય કર્તા-ભોક્તા પણ હોતું નથી. જેમકે આકાશ. આ રીતે આ વ્યતિરેકવ્યાપ્તિ જાણવી તથા આત્મા સયિ:, પ્રત્યક્ષત વ વેદસ્વિન્તવર્ણનાત્ ચન્દ્રપુરુષવત્ । આ બીજું અનુમાન છે. જ્યાં જ્યાં પ્રત્યક્ષપણે દેહનું હલન-ચલન વગેરે દેખાય છે ત્યાં ત્યાં અવશ્ય સક્રિયતા હોય છે. જેમકે ઘંટી આદિ યંત્રોમાં કામ કરતા
પુરુષનું શરીર પ્રત્યક્ષપણે હરતું-ફરતું દેખાય છે. તેથી તે સક્રિય છે. તેમ આ આત્માના દેહનું હલન-ચલન પ્રત્યક્ષપણે દેખાય છે. માટે જરૂર સક્રિય છે આ બીજું અનુમાન જાણવું. આ રીતે આત્માનું સક્રિયપણું સિદ્ધ કર્યું. તેથી મુક્તિગમન સમયે આ આત્મા સાતરાજ ગતિ કરે છે. આ વાત સિદ્ધ થઈ. ૧૮૪૬॥
મંડિક બ્રાહ્મણ તરફથી થયેલી શંકાનો ભગવાન ઉત્તર આપે છે - देहप्फंदणहेऊ होज्ज पयत्तो त्ति सोवि नाकिरिए । होज्जादिट्ठो व मई, तदरूवत्ते नणु समाणं ॥१८४७॥ रूवित्तम्मि स देहो वच्चो तप्फंदणे पुणो हेऊ । पइनिययपरिप्फंदणमचेयणाणं न वि य जुत्तं ॥१८४८ ॥