________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૧૭
| મુવત્તાત્મા સર્વવ્યાપી, દ્રવ્યત્વે સત્યમૂર્તસ્વીત્ નમ: રૂવ આવું જે તમારા વડે અનુમાન કરવામાં આવે છે ત્યાં પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે - માત્મા સર્વવ્યાપી મતિ,
ત્રા, વૃત્તાત્રવતું, જેમ કુલાલ ઘટાદિનો કર્તા છે તેથી સર્વવ્યાપી નથી, તેમ આ આત્મા પણ દુઃખ-સુખનો તથા શુભાશુભ કર્મોનો કર્યા છે, મુક્તિગતાત્મા પણ પોતાના ગુણોનો કર્તા-ભોક્તા છે. માટે સર્વવ્યાપી નથી. જો આત્મામાં કર્તુત્વ ન માનીએ તો ભોસ્તૃત્વ અને જ્ઞાતૃત્વ-દેપૃત્વ વગેરે ધર્મો પણ ન ઘટે. માટે મોક્ષમાં સ્વગુણોનું અને સંસારી અવસ્થામાં કર્માદિ ભાવોનું કર્તૃત્વ અવશ્ય છે. તેથી કતૃત્વ હોવાથી કુલાલ આદિની જેમ અસર્વવ્યાપિત જ છે, પણ સર્વવ્યાપત્ય નથી. માટે સર્વવ્યાપિત સાધનારું અનુમાન બાધિતહેત્વાભાસ થાય છે. ૧૮૪૨
અથવા તો મુક્તિગત આત્મા નિત્ય જ છે. નિત્ય જ છે આવા પ્રકારનો એકાન્ત આગ્રહ રાખવાની અને તેને સિદ્ધ કરવાની અમારે શી જરૂર ? મુક્તિગતાત્મા નિત્ય છે નિત્ય છે. આવી જે કંઈ ઉપરની ગાથાઓમાં સિદ્ધિ કરી છે. તે સર્વે વાત એકાન્ત અનિત્યવાદિના મતને દૂર કરવા માટે જ કરી છે. એકાન્ત અનિત્ય કોઈ માની ન લે તેટલા માટે જ જોરશોરથી નિત્યત્વ અમે સિદ્ધ કર્યું છે. બાકી અમારી દૃષ્ટિએ એકાન્તનિત્ય કોઈ જ નથી. પરમાર્થથી તો સર્વે પણ વસ્તુઓ જૈનદર્શનનુયાયી આત્માઓને “ભવન-ભંગસ્થિતિવાળી” એટલે કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવવાળી જ દેખાય છે અને વસ્તુ છે પણ તેમજ, સર્વે પણ વસ્તુઓ ત્રિપદીયુક્ત જ છે. તે સમજાવે છે -
को वा निच्चग्गाहो?, सव्वं चिय वि भव-भंग-ट्ठिइमइयं । पजायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१८४३॥ (વો વા નિત્યપ્રહ ?, સર્વમેવાપિ ભવ-મ-સ્થિતિમયમ્ | પર્યાયાન્તરમીત્રાઉUનિત્યાદ્દિવ્યપશ: ).
ગાથાર્થ - અથવા એકાન્ત નિત્યત્વનો આગ્રહ શા માટે ?, સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિધર્મવાળી છે. નવા નવા પર્યાયની અર્પણ કરવાથી અનિત્યતાદિનો વ્યપદેશ થાય છે. /૧૮૪૩/l
વિવેચન - મુક્તિગત આત્મા નિત્ય છે નિત્ય છે. આમ એકાન્ત નિત્યપણાનો અમારો આગ્રહ નથી. આકાશ જેવી નિત્ય દેખાતી વસ્તુ પણ એકાન્ત નિત્ય નથી. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યની પ્રધાનતાએ જ માત્ર નિત્ય છે. પણ પર્યાયની પ્રધાનતાએ ઉત્પત્તિ અને નાશવાળી પણ અવશ્ય છે. તેથી આકાશ, મુક્તિગત આત્મા અને ઘટ-પટ